SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ઃ જૂનાગઢ અને ગિરનાર જૂથ પિતાને પહેચવા નહિ દે એમ માની શેરખાને પણ પ્રેમીનખાન સાથે સમાધાન કરી તેની આજ્ઞાનુસાર જૂનાગઢના નાયબ ફોજદારની જગ્યા સ્વીકારી લીધી, પરંતુ ત્યાં હઝબરખાન ફેજિદાર હતો અને શેરખાનને તેની સાથે અણબનાવ હતો તેથી તે જૂનાગઢ ન જતાં મોમીનખાન પાસે જ રહ્યો. પાછળથી મોમીનખાને તે બન્નેનું સમાધાન કરાવી આપ્યું અને તેને ગુજરાતમાં આગળ વધતાં મરાઠી સૈન્યો સામે લડવા જવા આજ્ઞા આપી, મુગલ સામ્રાજય છેલ્લા શ્વાસ ઘૂંટતું હતું અને શાહી સત્તા નહિવત થઈ ગઈ હતી ત્યારે વિજયી સૈન્ય સામે લડીને સાફ થઈ જવાનું શેરખાનને યોગ્ય લાગ્યું નહિ. તેણે ગુજ- રાતની ક્ષિતિજ ઉપર મહારાષ્ટ્રના ઊગતા સૂર્યને જોઈ મરાઠા સરદાર રંગોજી સાથે મૈત્રી કરી અને તેની સલાહથી જૂનાગઢ જઈ નાયબ ફોજદારની જગ્યા સંભાળી લીધી. ઈ. સ. ૧૭૪૩માં મામીનખાન મૃત્યુ પામ્યો તેથી શેરખાને રંગજીનું પડખું પકડી ખંભાત પરગણાનાં જે ગામ મામીનખાનની જાગીરનાં હતાં તે લૂંટી લીધાં. મરાઠાઓનું ગુજરાતમાં પ્રાબલ્ય વધી ગયું છે અને સ્થાનિક અમલદારે તેની સામે થતા નથી કે થઈ શકતા નથી તેમ જણાયાથી દિલ્હીથી ખુદા-ઉદ્દીન અને મુફત–ઉદ્દીન નામના સરદાર એક પ્રચંડ સેના લઈને ગુજરાતમાં આવ્યા. તેમણે રંગોજી સામે મોરચો માંડયા. રંગેજીને મહારાષ્ટ્રમાંથી મદદ મળી નહિ ત્યારે શેરખાને વચ્ચે પડી સમાધાન કરાવ્યું તેમાં એવું ઠરાવ્યું કે મરાઠાઓ વીરમગામ અને બોરસદને કબજે છેડી આપે અને મુગલ સેના અમદાવાદમાં રહે તેને રંગેજી હરકત કરે નહિ. રંગેજીને મારી નાખવા મુગલ સેનાપતિઓએ કાવવું કર્યું પણ શેરખાને તેને મદદ કરી તેને વાડાસિનોર નાસી જવામાં સહાય કરી અને પોતે પણ વાડાસિનોર પહોંચી ગયો. દરમ્યાન જવાંમર્દખાન બાબીએ એક બનાવટી ફરમાન ઊભું કરી ગુજ. રાતની સૂબાગીરી પચાવી પાડી એટલે શેરખાને ગાયકવાડને બોરસદ લઈ લેવા સલાહ આપી. મરાઠાઓએ બોરસદ પાછું લઈ લેતાં જવાંમર્દખાને શેરખાનની નિંદા કરી ઠપકે આ તેથી શેરખાન વાડાસિનોરથી જૂનાગઢ ન જતાં પાછા વાડાસિનોર ચાલ્યો ગયો. આ સમયે જૂનાગઢમાં દિલ્હી દરબારમાંથી આવેલા મીરદસ્તઅલી અને હિમ્મતઅલી નામના ફોજદારો હતા તેમની નિર્બળતાને કારણે તથા તેમના અયાશી જીવનને કારણે વહીવટી તંત્ર કથળી ગયું હતું. પ્રજાનું રક્ષણ કરવામાં તેઓ અસમર્થ નીવડેલા અને લૂંટારાઓ અને માથાભારે માણસો સરે જાહેર
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy