________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૨૩ કરી ફોજદારને હેદો મેળવવા પ્રયત્ન શરૂ કર્યા. મહારાજાના ભાઈ વખતસિંહ સાથે તેણે મૈત્રી કરી અને તેના દ્વારા મહારાજની મુલાકાત મેળવી શેરખાને અભયસિંહને હાથી, ઘોડાઓ અને કીમતી આભૂષણે નજર કર્યા અને પિતાની સેવાની વિગતે રજૂ કરી.
અભયસિંહ શેરખાનના વ્યકિતત્વથી અને તેની શક્તિથી ખુશી થયા અને તેને “બહાદર”ને ઈલકાબ આપ્યો, એટલું જ નહિ પણ વડોદરામાં સરબુલંદખાન નામને ફેજદાર હતો તે છતાં તેના. ઉપરાંત શેરખાનની ત્યાં નિમણૂક કરી. સરબુલંદખાને આ નિમણૂકને વિરોધ કર્યો ત્યારે મહારાજાએ કહ્યું કે મરાઠાની વધતી જતી ભરતીને ખાળવા શેરખાન જેવા ખડકની જરૂર છે અને તે ખાસ કામગીરી માટે તેની નિમણૂક કરવામાં આવી છે.
શેરખાને સરબુલંદખાન સાથે સહકારથી કામ કર્યું તેથી તેને ખાનને ઈલકાબ આપવામાં આવ્યા તે પૂર્વે શેરખાન શેરખાન બહાદર કહેવાતા તેના બદલે હવે તે બહાદખાન થઈ ગયા.
દિલ્હીની અવ્યવસ્થિત અને અનિયમિત રાજનીતિમાં “મારે તેની તલવાર , એ સૂત્ર સ્વીકૃત થઈ ગયું હતું તેથી બુરહાન-ઉલમુક નામના અમીરની લાગવગથી સોરાબખાનને સોરઠની ફેજદારી મળી તથા શેરખાનની ઘંઘામાં જે જાગી હતી તે પણ તેને મળી. સોરાબખાને ઘોઘામાં આવી શેરખાનના માણસે તથા કુટુંબીઓને કાઢી મૂકયા. શેરખાન તે માટે કાંઈ પણ કરે તે પહેલાં સોરાબખાન તથા મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી વચ્ચે વાં પડતાં બંને પક્ષો વચ્ચે ધંધુકા પાસે યુદ્ધ થયું તેમાં સોરાબખાન માર્યો ગયે.
શેરખાન તે પછી ખેડા ગયે અને દુશ્મનના દુશ્મન સહેજે મિત્ર એ ન્યાયે રતનસિંહે તેને પિરબંદરની ફેજિદારી આપી પણ શેરખાને તેને અસ્વીકાર કરી પિતે વાડાસિનોર જઈ ત્યાં રહ્યો.
ઈ. સ. ૧૭૧માં મહારાજા અભયસિંહ સૂબાપદેથી પાછાં ગયા અને તેની જગ્યાએ શેરખાનને મોટો શત્રુ મોમીનખાન ગુજરાતને સૂબે થઈને આવ્યો મોમીનખાનના મરાઠાઓ સાથેના સંબંધે સારા છે અને દિલ્હીની સત્તાને સૂર્ય ઝડપથી અસ્તાચળે ઊતરી રહ્યો છે તે જોઈ જવાંમર્દખાન બાબી તથા જોરાવરખાન બાબી મેમીનખાન સાથે મળી ગયા અને આવડ પ્રબળ
1 તારીખે સેરઠ, દીવાન રણછોડજી.