________________
૧૨૨ : જૂનાગઢ અને ગિરનાર
આપ્યું તેમાં મુસ્લિમ સેના છિન્નભિન્ન થઈ ગઈ. સફદરખાન મરાઠામ્માના હાથમાં દેદ પકડાયા અને તેના પુત્રા સલાબતમઽમદખાન તથા શેરખાન નાસી છૂટયા. પાછળથી સલાબતખાને મરાઠા સરદાર ધાનાજીને મોટી રકમના ઈંડ આપી તેના પિતાને તથા અબ્દુલહમીદને મુકત કરાવ્યા. એવી પણ નોંધ છે કે જ્યારે શાહના મુરાદ ગુજરાતમાં સૂબાપદે આવ્યા ત્યારે શેરખાન તેની હજૂરમાં રહેતા.૩
સફદરખાનને ફરીથી પાટણના ફેાજદારની જગ્યા મળી પણ તે છેં. સ. ૧૭૨૫માં ગુજરી ગયા. તથી સલાબતમહમદખાનને વીરમગામની ફોજદારી અને ધેાધાની જાગીર મળ્યાં.
સલાબતમહમદખાન એ રીતે સૌરાષ્ટ્રમાં આવતાં તેણે સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ કર્યો અને જામનગર તથા હળવદના પ્રશ્નોમાં રસ લઈ આ રાજ્જા સાથેના સબંધ વધાર્યા.
ઈ. સ. ૧૭૨૮માં જૂનાગઢના ફોજદાર અસદઅલીખાન ગુજરી જતાં સલાબતમહમદખાનના પુત્ર મેરખાનને તેની જગ્યા મળી, પરંતુ દિલ્હી દરબારમાંથી તે જગ્યા ઉપર માધુકીન નામના ફોજદાર બારાબાર નિમાઈને આવી જતાં શેરખાનને નાયબ ફાજદારના પદે પાછું જવું પડયું માલુદીને મીર ઈસ્માઈલને પેતા વતી નાયબ ફોજદાર તરીકે નિયુકત કર્યાં અને તેણે શેરખાનની કામગીરીમાં બેહદ દખલ કરતાં શેરખાન કંટાળીને જૂનાગઢથી ત્યાગપત્ર આપી પોતાની નગીરમાં વાધા રહેવા ચાલ્યા ગયા.
મુગલ સામ્રાજયની સેાર ઉપર હકૂમત હતી તે છતાં પીલાજીરાવ ગાયકવાડ સૌરાષ્ટ્રમાં પ્રવેશી સેારડ પ્રાંત ઉપર પેાતાની જમા બેસાડી તે વસૂલ લેવા બે વર્ષ પંત મુકામ રાખ્યું, પાદશાહી ફાજદાર તેના વિરુધ કરી શકયા નહિ.
શેરખાનની અસીમ મહત્ત્વાકાંક્ષા તેને સ્થિર બેસવા દે તેમ હતું નહિ તેણે ગુજરાતના સૂબા અને જોધપુરના મહારાજા અભયસિંહ ની કૃપા પ્રાપ્ત
1 જૂનાગઢના ઇતિહાસની કાચી નોંધ, લેખકનું નામ નથી,
2 એન
૩ ોધપુર મહારાન્ન અતસિંહ ઈ. સ. ૧૭૫૧માં અને તેના અનુગામી મહારાજા અભયસિંહ ઇ. સ. ૧૭૩૦માં ગુજરાતના સૂબા હતા.