________________
માખી વંશ-પૂર્વાધ : ૧૨૧
ખાન પાટણના નાયબ ફોજદારપદે નિમાયા. મુઝફરખાન કાળી સામે લડતાં માર્યા ગયા અને મુબારિઝખાન પણ ગુજરી ગયા. ત્રીજો પુત્ર જાફરખાન મુઝફરખાનના મૃત્યુ પછી તેના પદે નિમાયા. ઈ. સ. ૧૬૯૪ આસપાસ તને પાદશાહે સફરખાનના ઇલ્કાબ આપ્યા અને પાટગુના ફોજદારપદે નિયુકત કર્યાં પશુ ઈ. સ. ૧૯૯૮માં ગુજરાતના સૂબ! શુામતખાન સાથે તેને મતભેદ થતાં તે માળવા ચાલ્યો ગયો. બહાદરખાનના ચાથા પુત્ર શાહબાઝખાન હતા.
ઈ. સ. ૧૭૦૬માં વીર દુર્ગાદાસ રાઠોડે દિલ્હીની શાહી હકૂમતને ત્રાહે તાબાહુ પાકરાવી ત્યારે બાદશાહ આલમગીરના હુકમથી સફદરખાન તેની સામે ચડયા. આ કામગીરી બદલ તેને રાધનપુર, સમીમુંજપુર અને તેરવાડાની જાગીરા મળી.1
ખીજા મંતવ્ય પ્રમાણે ખાખી વંશના સ્થાપક સૈયદ મહમદ ઉર્ફે સૈયદ બાબા હતા. તેના પુત્ર ભાખી થયા તેના માતામહ ગારગસ્ત હતા અને તેના પિતા કયસ ઉર્ફે અબ્દુલ હમીદ હતા. ભાખી હઝરત અલીની એલાદમાં બાવીસમી પેઢીએ ઊતરેલા. આદમથી હઝરતઅલી એગણપચાસમી પેઢીએ અને સૈયદ ખાખી એકાતરમી પેઢીએ હતા. સૈયદ માખીને ચાર પુત્રા હતા તેમાં પ્રથમ મિરઝા હતા. તેના પુત્ર હયાતખાન થયા. તેના ઉસ્માનખાન, તેના ઈસ્માઈલખાન, તેના અબ્દુરી મખાન અને તેના આદિલખાન તથા તેના પુત્ર ઉસ્માનખાન હતા. આદિલખાન ઈરાનના શાહુ તહમાસ્પ પાસે હતા. હુમાયુ જ્યારે ઈરાનથી હિંદુસ્તાન જીતવા આવ્યા ત્યારે શાહે તેને સાથે મેાકલ્યા અને હુમાયુની ક્રોહ પછી તેની સાથે દિલ્હી દરબારમાં રહી ગયો. ઉસ્માનખાનના પુત્ર બહાદુરખાન શાહજહાનની પાસે રહેતા. તેણે શાહઝાદા પરવીઝ સામેની લડાઈમાં પરાક્રમ બતાવી શાહની બેગમને શત્રુના હાથમાં જતી બચાવી તેથી શાહજહાંને તેને શેર'ના ઈલ્કાબ આપી, કડી અને થરાદની જાગીર આપી. 2
શેરખાન
ઈ. સ. ૧૭૦૫માં મરાઠાઓએ ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે રાજપીપળા પાસે રતનપરના મેદાનમાં સફદરખાને નઝરઅલીખાનની મદદમાં રહી તેને યુધ્ધ
1 મિરાતે મુસ્તફાબાદ, શ્રી જી. એ. શેખ
2 ‘જૂનાગઢને ઇતિહાસ’, શ્રી ગુલાબશકર વાદ્દા. જૂ. ગિ.-૧૬