________________
મુસ્લિમ સમયઃ પદક
આ નહિ.'
ઈ. સ. ૧૯૮૬માં “સોરઠ સરકાર” શાહજાદી બુનિયાને ખીસા ખરચીમાં મળ્યું અને તેને નાયબ શાહવર્દીખાન જૂનાગઢ આવ્યો. તેણે સૈયદ મહમદખાન નામના તાજેતરમાં આવેલા ફોજદારને ક્ટ કરી વહીવટ સંભાળે પરંતુ તે પોતે પણ એક વર્ષ રહી પાછા ગયે.'
શાહવર્દીખાને પ્રભાસપાટણ અને માંગરોળમાંથી મળી આવેલા શિલાલેખ પ્રમાણે અમલદારો અને અમીરો તેની જાગીરની ઊપજ વગર તેલ અને ભાવ મુકરર કર્યા વગર વેપારીઓને આપતા તે પદ્ધતિ બંધ કરી. તે પછી જનાગઢ સહિત સોરઠ, શાહજાદા આઝમને ખીસા ખરચીમાં મળ્યું તેના નાયબ તરીકે કરતલબખાન નિમાઈ આવ્યા પરંતુ તેને સુજાઅતખાનના ઈલ્કાબ સાથે ગુજરાતના સૂબાનું પદ મળતાં તે થોડા જ માસ જૂનાગઢમાં રહી અમદાવાદ ચાલ્યો ગયો.
કરતલબખાન પછી ઈ. સ. ૧૬૮૭ સુધી શેર અફઘાન, ઈ. સ. ૧૯૮૮ સુધી બહલોલ શિરાની, ઈ. સ. ૧૬૯૮ સુધી પાછો શેર અફઘાન અને ઈ. સ. ૧૭૦૪ સુધી મહમદ બેગખાન ફોજદારપદે રહ્યા.
આલમગીર ઈ. સ. ૧૭૦૭માં ગુજરી ગયો. ઔરંગઝેબ પછી - ઈ. સ. ૧૭૦૪માં આવેલો ફોજદાર સરદારખાન નિર્બળ હતા અને ઈ. સ. ૧૭૧૧માં આવેલ મહમદ ગિલાની, તેને સમય સવિશેષ ધાર્મિક ગ્રંથોના વાંચનમાં પસાર કરતા. પરિણામે જૂનાગઢની હકૂમત નરમ પડી અને સૌરાષ્ટ્ર ઉપર જૂનાગઢની પકડ ઢીલી પડી ગઈ.
ઔરંગઝેબના મૃત્યુ પછી દિલ્હી દરબારમાં અમીરેનું વર્ચસ્વ વધી ગયું અને લાગવગથી અમીર અને અધિકારીઓ તેમની મહેરબાનીના માણસોની નિમણુક કરતા ગયા. મુગલ સમયના ઈતિહાસ અનુસાર ઈ. સ. ૧૭૧પમાં જોધપુર મહારાજા અભયસિંહ, ઈ. સ. ૧૭૧૭માં અબ્દુલ હામીદખાન, ઇ. સ. ૧૭૧૮માં હૈદરકુલીખાન, ઈ. સ. ૧૭૬૧માં અબ્દુલ શામીદખાન, ઈ. સ. ૧૭૨૩માં અસદકુલીખાન, ઇ. સ. ૧૭૨૯માં અસદઅલીખાન, ઈ. સ. ૧૭૩૦માં સલાબતખાન, તે જ વર્ષમાં શેરખાન, ઈ. સ. ૧૭૩૨માં ગુલામ મોહ્યુદીન, ઈ. સ.
1. જુઓ “પ્રભાસ અને તેમનાથ, શં. હ. દેશાઈ. 2. “અરેબીક એન્ડ પર્શિયન ઇસ્ક્રિપ્શન્સ ઓફ સૌરાષ્ટ્ર, શં. હ. દેશાઈ.