SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ : જૂનાગઢ અને ગિરનાર કરવા માંડી અને કાસમખાન તેનાથી ડરીને જૂનાગઢ સાચવીને બેસી રહ્યો. ઈ. સ. ૧૬૩૨માં તે પાછે ગયો અને તેની અવજી ઈસાતારખાન આવ્યો. તે ઈ. સ. ૧૬૪૨માં બદલાઈ ગયો અને તે સ્થાને ઈનાયુતુલ્લા આવ્યો. શાહજહાન જહાંગીર ઈ. સ. ૧૬૨૭માં ગુજરી ગયા અને શાહજહાન દિલ્હીપતિ થયો. તેના રાજ્ય અમલમાં તેને શાહજાદ ઔરંગઝેબ ઈ. સ. ૧૬૪૬માં અમદાવાદને સૂબે થઈને આવ્યું. તેનું ધ્યાન દિલ્હીના સિંહાસન પ્રત્યે જ હતું તેથી તેને જૂનાગઢ આવવાનું બન્યું નહિ. જૂનાગઢના ફોજદારને પદે ઈ. સ. ૧૬૫૦ સુધી ઈનાયુતુલા રહ્યો અને તે પછી મહમદ સાલેહ આવ્યું જે ઈ. સ. ૧૬૫૩ સુધી રહ્યો. ઈનાયુતુલ્લાએ ઔરંગઝેબની ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અનુસાર તેની આજ્ઞાથી મૂર્તિખંડન, મંદિર વંસ અને ધર્માતરની પ્રવૃત્તિને વેગ આપે, સોમનાથના મંદિરનું પણ ખંડન કર્યું અને મૂર્તિ પૂજા કરવાની મનાઈ ફરમાવી.' - ઈ. સ. ૧૬૫૪માં ઔરંગઝેબને પાછો બેલાવી લેવામાં આવ્યો અને તેને સ્થાને શાહજાદા મુરાદ આવ્યું. તેના સમયમાં ઈ. સ. ૧૬૫૪માં જૂનાગઢના ફોજદારપદે કુતુબુદ્દીન પેશગી આવ્યો. તે ઈ. સ. ૧૬૬૪ સુધી જૂનાગઢમાં રહ્યો. આલમગીર આ કુતુબુદ્દીન ફોજદારપદે હતા ત્યારે શાહજાદા ઔરંગઝેબે બળ કરી ઈ. સ. ૧૬૫૮માં પોતાના પિતા શાહજહાનને કેદ કરી તેના ભાઈઓને મારી તે આલમગીર નામ ધારણ કરી દિલ્હીને શહેનશાહ થયો અને તે સાથે પાદશાહ અકબરે સ્થાપેલી રાજનીતિ પલટાતાં હિન્દુ અને જૈને ઉપર ત્રાસ અને જુલમ શરૂ થયો. ઈ. સ. ૧૬૬૪માં સરદારખાન ફોજદાર થઈને જૂનાગઢ આવ્યું. તેણે ઈ. સ. ૧૬૬૫માં આલમગીર સોમનાથને વંસ કરવાની કરેલી આજ્ઞાને વિવેકબુદ્ધિપૂર્વક અમલ કર્યો અને હિન્દુ રાજાઓ અને પ્રજાને ત્રાસ 1. દીવાન રણછોડજીના કથન પ્રમાણે ઈસાતખાને જૂનાગઢનો કિલ્લે નવેસરથી બાંધ્યો. જુઓ પ્રકરણ ૧લું. 2. જુઓ “પ્રભાસ અને સોમનાથ, શં. હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy