SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ : જૂનાગઢ અને ગિરનાર સુલતાન મુઝફફરની મદદમાં આવી ઈ. સ. ૫કામાં જૂનાગઢમાં બળવે . જામ સતાજીએ તેને મદદ કરી. ઈ. સ. ૧૫૯માં ભૂચર મોરીનું યુદ્ધ થયું ત્યારે પિતાના પૂર્વજનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા રાયજાદા ખેંગારે એક નિષ્ફળ પ્રયાસ કર્યો. તેની પાસે હકૂમત હતી કે નહિ. ધન હતું કે નહિ તેમ છતાં તેણે એક સારા સૈન્યને જમાવ કરેલ. કમભાગ્યે તેણે જે પક્ષને સહાય આપી તે પક્ષને પરાજય મળે. તેથી તે નાસીને પ્રભાસપાટણમાં આશ્રય લઈ રહ્યો. ત્યાંના દેશાઈ સારંગધરના પ્રયાસથી તેને મિરઝાં અઝિઝ કેકલતાશે માફી આપી પણ જૂનાગઢમાં ન રહેતાં તેનાં ગામડાંઓમાં જવા આજ્ઞા આપી.' . ચુડાસમા વંશને અંતિમ રાહ ખેંગાર અને તેના વંશજે તે પછી બગસરા ચોરાશીમાં વસ્યા દીવાન રૂઘનાથજીએ તેમની પાસેથી કેશોદ, એરવાડ વગેરે જીતી નવાબના રાજ્યમાં ભેળવી દીધાં. આજે તેના વંશ, સેદરડા, ચોરવાડ બળેજ વગેરે ગામોમાં વસે છે.' ગુજરાતના જુલમી, ધમધ અને ફુર સુલતાનોને અંત આવ્યો અને તે સાથે અરાજક્તા, અનિશ્ચિતતા અને અશાંત પરિસ્થિતિનો પણ અંત આવ્યો. મુગલ સામ્રાજ્ય મુગલાઈમાં જૂનાગઢ “સોરઠ સરકારનું મુખ્ય શહેર થયું. ગોરીઓને અમલ મોકૂફ થયો અને ભૂચર મોરીના યુદ્ધમાં શાહી સૈન્યના એક વિભાગને જે સેનાપતિ હતા તે નવરંગખાનને જૂનાગઢના ફોજદારપદે નીમવામાં આવ્યો. મિરઝાં અઝિઝ કેલતાશ ઈ. સ. ૧૫૯૪માં જૂનાગઢ આવ્યું. અમીરે, ઠાકરે, જાગીરદારે, રાજાઓ અને પ્રજાજનોએ તેનું સ્વાગત કર્યું. જૂનાગઢ પ્રદેશમાં રાજા ટેડરમલે સ્થાપેલી જમાબંદી મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં ૧ રાહ માંડલિકના વંશજો માટેના કવિ કહાનના કવિતના અંતની કડીઓ છે કે ' સોમનાથજી કે શરણ મેં થાન ઠર્યો નાગર નર સારંગધર સહાય મેં સહાયો કહાન કવિ ચંદ્રનાથ દેવકા કૃપા પ્રતાપ ચંદ્રચૂડ રાહ વંશ નાશસે બચાયો છે ૨ જુએ પ્રકરણ પમું. ૩ વિગતો માટે જુઓ, “સૌરાષ્ટ્રનો ઈતિહાસ-તથા પિતૃતર્પણ” . હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy