SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મુસ્લિમ સમયઃ ૧૧૩ કેકલતાશના હાથમાં પડયું. જુનાગઢને ઘેરે - મિરઝાને બાતમી મળી કે મુઝફફર તથા સતાજી જૂનાગઢમાં છે તેથી તેણે જૂનાગઢને ઘેરે ઘાલ્યો. મુગલ સેનાને જોઈ દેલતખાન ભયને માર્યો ગુજરી ગયે. મુઝફફર નાસીને ઓખામાં આરંભડા ગયો અને સતાજી બરડામાં ઊતરી ગયા. જૂનાગઢ મિરઝાના હાથમાં પડયું. મુઝફફરનું મૃત્યુ - મુઝફફરને આરંભડામાં આશ્રય મળે છે તે જાણવામાં આવતાં મુગલ સૈન્ય આરંભડા ઉપર ચડયું અને તેને રાજા શિવરાણે તેને પ્રતિકાર કરવા જતાં રણભૂમિમાં સદાને માટે સૂતા. મુઝફફર ત્યાંથી ક૭ ગયો. કચછના રાહ ભારમલે તેને શાહી સેનાપતિ અબ્દલાખાનને સોંપી દીધો. તેને કેદ કરી લઈ જતા હતા ત્યાં ધ્રોળ પાસે કુદરતી હાજતે જવાના મિષે એકાંતમાં જઈ ગળે અસ્ત્ર ફેરવી ઈ. સ. ૧૫૯૦માં આત્મહત્યા કરી અને તે સાથે ગુજરાતની સલતનતને અંત આવ્યો. સોરઠ સરકાર સોરઠ સંપૂર્ણપણે શાહી સલતનતના પ્રદેશોમાં ભળી ગયું અને તેને સારડ સરકાર એટલે સેરઠને પ્રાંત એવું નામ આપવામાં આવ્યું. રાયજાદે ખેંગાર - રાહ માંડલિકના યુવરાજ ભૂપતસિંહને મહમૂદ બેગડાના તંત્રમાં મુલ્કી વહીવટ સોંપવામાં આવે તેવી સામાન્ય માન્યતા છે પરંતુ દીવાન રણછોડજી તેના ઈતિહાસગ્રંથ તારીખે સોરઠમાં કહે છે કે ભૂપતસિંહ અને તેના વંશજે રાજા કહેવાતા અને બિનહકૂમતી રાજકર્તાઓ હતા. તેઓ વિશેષમાં કહે છે કે, ભૂપતસિંહ ઈ. સ. ૧૫૫રમાં મૃત્યુ પામ્યો. તેનો પુત્ર તેની પાછળ રાજા થયું. તે સમયે હકૂમત મુજાહિદખાન બહેલીમ પાસે હતી. નવઘણ ઈ. સ. ૧૫૫રમાં ગુજરી ગયો ત્યારે તેને પુત્ર રાજા શ્રીસિંહ તેને અનુગામી થયે. ઈ. સ. ૧૫૮૭માં શ્રીસિંહનો કુમાર ખેંગાર રાજા થયે. તેના સમયમાં સુલતાન બહાદુરશાહ ગુજરાતી વારંવાર જૂનાગઢ આવતો તેથી ખેંગારે 1. આ યુદ્ધની વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઈતિહાસ, શં. હ. દેશાઈ. જૂ.ગિ–૧૫
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy