________________
૧૧૦ : જૂનાગઢ અને ગિરનાર
બહાદુરશાહનું મૃત્યુ
ઈ. સ. ૧૫૩૭માં દીવના બારામાં પોર્ટુગીઝોએ બહાદુરશાહને મારી નાખ્યો.' બહાદુરશાહ પછી
બહાદુરશાહના મૃત્યુ પછી તેના ભાઈ લતીફખાનને પુત્ર મહમૂદ ત્રીજો ગુજરાતની ગાદીએ આવ્યો. તેના સમયની જૂનાગઢને સંબંધકર્તા કંઈ ખાસ હકીકત ઉપલબ્ધ નથી. ઈ. સ. ૧૫૩૮માં તુકથી સુલેમાન પાશા એક નૌકા સૈન્ય લઈ; પોર્ટુગીઝ સામે શરૂ થયેલાં સમુદ્રયુધેિમાં સુલતાનને સહાય કરવા આબે પણ સુલતાનના સેનાપતિ ખ્વાજા સફરે તેને ખોટી બીક બતાવી પાછો વાળી દીધે. સુલેમાન પાછો ગયો ત્યારે ઘણે સરંજામ પાછળ મૂકતો ગયો જેમાંની તે પૈકીના બે તે મુજાહિદખાન બહેલીમ જૂનાગઢ લઈ આવ્યું તે આજ ઉપરકેટના કિલ્લામાં છે
મહમૂદ ત્રીજે ઈ. સ. ૧૫૫૪માં મૃત્યુ પામે. ગુજરાતની બળવાન સલતનત નિર્બળ થઈ ગઈ. મહમૂદ અપુત્ર હતા તેથી અમીરએ અહમદખાન નામના એક છોકરાને ગારીએ બેસાથે પણ તેનું ઈ. સ. ૧૫૬૧માં ખૂન કરવામાં આવ્યું અને તેની ગાદી ઉપર મહમદ ત્રીજને અનૌરસ પુત્ર નથુ મુઝફફર નામ ધારણ કરી બેઠો.
તેના સમયમાં જૂનાગઢના થાણદારપદે શિહાબ-ઉલ-મુક ગેરી હતો. તેને પોર્ટુગીઝોએ ઉપરકેટમાં પડેલી અને અન્યત્ર રાખેલી સુલેમાની તેને નાશ કરવા માટે મણના મણ સેનું આપવા લાલચ આપેલી પણ તે તેને વશ થયે નહિ.. મુઝફફર ૩ જે | મુઝફફરના સમયમાં અમીરેએ ગુજરાત વહેંચી લીધું અને ઈ. સ. ૧૫૬૭માં ચંગીઝખાને ભરૂચ, સુરત, વડોદરા અને ચાંપાનેર, ઈત્તમાદખાને, ખંભાત મહિવાસ અને સાબર કાંઠે શેરખાન તથા મુસાખાને પાટણવાડો એમ જુદા જુદા પ્રદેશ જુદા જુદા અમીરોએ કાજે કરી લેતાં દેશમાં અંધાધૂંધી વ્યાપી તેથી ઈત્તમાદખાને પાદશાહ અકબરને આમંત્રણ પાઠવી ગુજરાત સ્વાધીન લેવા વિનંતી કરી.
1 દીવનાં યુધ્ધ અને બહાદુરશાહના મૃત્યુની વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ - શં હ. દેશાઈ.