________________
મુસ્લિમ સમયઃ ૧૦૮ ફતેહખાને મુઝફફરને દ્વિતીય પુત્ર બહાદુરશાહ દિલ્હી હતી ત્યાંથી તેને ઈ. સ. ૧૫૨૬માં ગુજરાતની ગાદીએ બેસાડે. બહાદુરશાહ
બહાદુરશાહે રાજકુટુંબના સર્વ શાહઝાદાઓને ફાંસી કે ઝેરના પ્યાલાની બક્ષિસ આપી પોતાને માર્ગ નિષ્કટક બનાવ્યો.
ઈ. સ. ૧૫રપમાં સેરડને સૂબો મલેક અયાઝ ગુજરી જતાં તેની જગ્યા તેના પુત્ર ઈસહાકને આપવામાં આવેલી. તેણે હિન્દુ જમીનદારો-રાજાઓ સાથે મળી જઈ નવ નગરના જામની સહાય મેળવી દીવ અને અન્ય પ્રદેશો હસ્તગત કરવા પ્રયાસ કર્યો. બહાદુરશાહને ઈસહાકના ભાઈ ઈલિયાયે ખંભાત મુકામે સુલતાન નને આ બાતમી આપતાં તેણે ઈસહાક ઉપર ચડાઈ કરી.
બહાદુરશાહ ખંભાતથી નીકળી, ગુંદી, ધંધુકા, રાણપુર થઈ જસદણ થઈ વસાવડ આવ્યો અને ત્યાંથી દેવળી આવી ત્યાં છાવણી નાખી. આ સમાચાર મળતાં જ ઈસહાક નાસી ગયા અને બહાદુરશાહે તેને પકડવા ખાનખાનાનને મોકલ્ય.
બહાદુરશાહ દેવળાથી જૂનાગઢ આવ્યું અને ત્યાં થોડા દિવસ રોકાઈ, સૈન્યને દેલવાડા મોકલી પિત, ચોરવાડ, પ્રભાસ પાટણ અને કેડીનાર થઈ દીવ ગયો. .
આ પ્રસંગે તેણે કીવામ-ઉલ-મુલ્કને દીવના અને મુજાહિદખાન બહેલીમને જૂનાગઢને થાણદારો તરીકે નિયુકત કર્યા. - આ સમયે પોર્ટુગીઝોએ દીવને કબજે કરી લીધો હતો અને સુલતાનોના નૌકા અને ભૂમિ રૌને તેની સામે યુદ્ધો કરતાં રહેતાં. આ નિરંતર ચાલતાં યુદ્ધોથી કંટાળી બહાદુરશાહે ઈ. સ. ૧૫૩૪માં પોર્ટુગીઝ સાથે સંધી કરી. તે અરસામાં દિલ્હીને સુલતાન હુમાયુ ગુજરાત ઉપર ચડી આવ્યા. બહાદુરશાહ નાસીને ખંભાત આવ્યું, ત્યાં પિતાને કાલે સળગાવી દઈ એક વહાણમાં તે દીવ આવ્યો, ત્યાંથી જૂનાગઢ, ચાંપાનેર અને અન્ય રાજ્યના ખજાના લૂંટીને તેના પૂર્વજોએ એકત્ર કરેલાં જર, જવાહિર, સુવર્ણ, રત્ન આદિથી ભરેલી ત્રણસો લેખંડની પેટીઓ તેના પિતાના સાથે સમુદ્રમાર્ગે ભક્તિા તરફ મેકવ્યું. માર્ગમાં આ કાફલાને તુર્કીના એડમિરલ સુલેમાને આંતરી આ ધન લૂંટી લીધું અને બહાદુરશાહની બેગમે અને જનાનાની સ્ત્રી એને ખલીફના જનાનખાનામાં એકલી દીધી. જૂનાગઢને ખજાન ઈસ્તંબુલ ગયો અને બહાદુરશાહની બેગમેનું શું થયું તે જાણવામાં આવ્યું નથી.