________________
૧૦૮ : જુનાગઢ અને ગિરનાર
કરી ગુજરાતને સુલતાન થયે. .
તેના સમયમાં જૂનાગઢ સંબંધી કેઈ નોંધપાત્ર બનાવ બન્યા હેવાની ઈતિહાસમાં મધ નથી પરંતુ સુલતાનની જે રાજનીતિ હતી તે ચાલુ રહી.
- આ સમયે સોરઠના સુબાપદ મલેક અયાઝ હતા પરંતુ તે સમુદ્રતીરે રહેવાને શોખીન હતો તેથી દીવ, દેલવાડામાં રહેતા અને તેનો નાયબ તાતારખાન જૂનાગઢમાં રહે. મલેક અયાઝ શ્રીમંત તેમજ બળવાન પરદેશી અમીર હતું તેથી તેના તંત્રમાં સુલતાન કંઈ દખલગીરી કરી શકતા નહિ. તે સાથે રાજાઓ, જમીનદારો, જાગીરદારો અને અન્ય બળવાન અમીની શકિત સુલતાનના સૈન્યએ હરી લીધી હતી તેથી તેને કોઈના વિરે ધને લેશમાત્ર ભય ન હતા. પ્રજા પણ રાજ્યના શત્રુઓથી નિભય હતી. માત્ર હિન્દુ પ્રજાને રાજ્યના અમીર અને અધિકારીઓ તરફથી ઉપદ્રવ અને અત્યાચાર મૂક રહીને સહન કરવું પડતા. મરિજદ
ઈ. સ. ૧૫૧૪ના વર્ષને એક ફારસી શિલાલેખ જૂનાગઢની બોરવાડ મસ્જિદમાંથી મળે છે તેમાં જણાવ્યું છે કે “આ મે મજિદ મુઝફફરના સમયમાં ખાન આઝમ બાહા કે જે મરજનને પુત્ર હતે તેણે બંધાવી છે .• આ મકાન ગિરનારના કિલામાં કે જેનું નામ મુસ્તફાબાદ રાખ્યું છે, તેમાં બાંધ્યું છે.'
એ જ સાલના એક ખંડિત શિલાલેખમાં દર્શાવ્યું છે કે આ મસ્જિદ સલાટ રાધાએ બાંધી હતી અને મસ્જિદની મહેરાબ સલાટ નરબદ ઠાલ્યાએ બનાવી હતી. મુઝફફરનું મૃત્યુ
મુઝફફર બીજો ઈ. સ. ૧૫રમાં ગુજરી ગયો. તેની ગાદીએ તેને યુવરાજ સિકંદર બેઠો. સિકંદર અને પછી
ગુજરાતના બળવાન અમીર ઈમા-ઉલ-મુલકે સિકંદરનું ખૂન કરી તેનાથી નાના ભાઈ મહમૂદને ગાદીએ બેસાડી સર્વ સત્તા હસ્તગત કરી પરંતુ મુઝફફરના વજીર ખુદાવંદખાને અને સિકંદરના બનેવી સિંધના શાહઝાદા
1 અરેબીક એન્ડ પર્શિઅન ઈક્રિપ્શન્સ એફ સૌરાષ્ટ્ર, શં, હ. દેસાઈ