________________
૧૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
મુલ્લાઓને બેલાવી ધર્મપ્રચાર, ધર્મશિક્ષણ અને ન્યાયના કાર્ય માટે નિયુક્ત કર્યા. અમીરોને જૂનાગઢમાં મોટાં મોટાં આલીશાન મકાન બાંધવા આજ્ઞ કરી અને જૂનાગઢને વૈભવ અને મહત્તા વધે તે પ્રબંધ કર્યો.'
મહમૂદે ગુજરાતના સુલતાનોની ધાર્મિક રાજનીતિ અનુસાર ઈસ્લામને પ્રચાર કર્યો. જેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો તેમને દીની તાલીમ આપવા મૌલવીઓને સૂચના આપવામાં આવી. ભૂપતસિંહ
જૂનાગઢ પ્રાંતને વહીવટ કરવા તેણે પોતાના યુવરાજ ખલીલખાનને નીમ્યો. તેના નાયબ તરીકે તાતારખાનને રાખી મુકી વહીવટ રાહ માંડલિકના યુવરાજ ભૂપતસિંહને સોંપ્યું. મહમૂદ ભૂપતસિંહનાં વ્યક્તિત્વ, શકિત અને રીતભાતથી પ્રભાવિત થયો અને તેનું રાજાનું પદ રહેવા દીધું અને બગસરા રાશી ગિરાસમાં આપી.
પૂર્વેના રાહના અન્ય વંશજો રાયજાદા કહેવાતા તે સંજ્ઞા ભૂપતસિંહે સ્વીકારી અને ત્યારથી તેના વંશજો રાયજાદા કહેવાયા. રાયજાદા શબ્દ રાહઝાદાનો અપભ્રંશ છે તેવી એક પ્રચલિત માન્યતા છે પરંતુ તે બરાબર નથી. યાદવ વંશમાં થયેલ ચૂડચંદ્ર યાદવની સમા નામની પેટાજાતિને હતા અને તે ચૂડચ દ્ર સમા કહેવાતા તેના વંશજો ચૂડાસમા કહેવાયા. આ યાદવ વંશીય રાજપૂત તેના નામ પાછળ યાદવ શબ્દ લખતા જેમાંથી જાદવ અને જાદા કે જાદે શબ્દ રૂઢ થયા. રાહ નવગણ બીજે ઈ. સ. ૧૦૨૭-૧૦૯૮માં થયે. તેને પુત્ર રાયઘણુ હતા. તેના વંશજે પણ રાયજાદા કહેવાતા એટલે રાયજાદા શબ્દ રાયયાદવ અર્થાત્ યાદવ વંશને રાજા થાય છે. તે રાહજાદાનું અપભ્રંશ રૂપ નથી.'
ખલીલખાને જૂનાગઢ પાસેના કેઈ ગામે ખલીલપુર નામે પડું વસાવી ત્યાં તેને રહેવા માટે મહેલ બાંધ્યા. આજે આ રાજમહાલનું ખલીલપુરમાં નામનિશાન નથી. મહમૂદ બેગડે
મહમૂદે જૂનાગઢ તથા પાવાગઢ એમ બે ગઢ જીત્યા માટે તે બેગઢ કે
1 વિગતો માટે જુઓ પ્રકરણ ૧લું. 2 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩. 3 જુઓ સૌરાષ્ટ્રને ઈતિહાસ, શં. હ. દેશાઈ.