SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મુસ્લિમ સમય ગુજરાતના સુલતાને રાહ માંડલિકનું ઈ. સ. ૧૪૬૯માં પતન થતાં જૂનાગઢ ગુજરાતના ખાલસા પ્રદેશોમાં ભળી ગયું. મહમૂદ બેગડાને જૂનાગઢ શહેર અને ગિરનાર એટલાં બધાં પસંદ પડયાં કે તેણે અમદાવાદથી તેની રાજધાની જૂનાગઢમાં ફેરવી નાખવાનું વિચાર્યું. પિતાના વિચારોને મૂર્તસ્વરૂપ આપવા જીર્ણદુર્ગનું સંસ્કૃત નામ ફેરવી પતે તેની ફતેહ કરી હતી તે માટે મુસ્તફાબાદ પાડયું ' અને રાહ માંડલિકની ટંકશાળમાં મહમૂદી નામને સિકકે પાડી તેના ઉપર “શહેરે આઝમ” શબ્દ ઉપસાવ્યા. તેણે ઉપરકેટમાં રાહના રાજમહાલયમાં પિતા માટે નિવાસસ્થાન કર્યું અને કેટલાંક મકાને તેડાવી તેના પથ્થરમાંથી એક મસ્જિદ બનાવી. તેણે ગુજરાતનાં શહેરો અને ગામોમાંથી સૈયદે, કાઝીઓ, મૌલવીઓ અને 1 મુસ્તફાબાદ નામ અલ્પજીવી હતું. જુઓ પ્રકરણ ૧લું. 2 મિરાતે સિકંદરી. 3 ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા, કર્નલ ટેડ. જૂ.ગિ-૧૪
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy