________________
મુસ્લિમ સમય
ગુજરાતના સુલતાને
રાહ માંડલિકનું ઈ. સ. ૧૪૬૯માં પતન થતાં જૂનાગઢ ગુજરાતના ખાલસા પ્રદેશોમાં ભળી ગયું. મહમૂદ બેગડાને જૂનાગઢ શહેર અને ગિરનાર એટલાં બધાં પસંદ પડયાં કે તેણે અમદાવાદથી તેની રાજધાની જૂનાગઢમાં ફેરવી નાખવાનું વિચાર્યું.
પિતાના વિચારોને મૂર્તસ્વરૂપ આપવા જીર્ણદુર્ગનું સંસ્કૃત નામ ફેરવી પતે તેની ફતેહ કરી હતી તે માટે મુસ્તફાબાદ પાડયું ' અને રાહ માંડલિકની ટંકશાળમાં મહમૂદી નામને સિકકે પાડી તેના ઉપર “શહેરે આઝમ” શબ્દ ઉપસાવ્યા. તેણે ઉપરકેટમાં રાહના રાજમહાલયમાં પિતા માટે નિવાસસ્થાન કર્યું અને કેટલાંક મકાને તેડાવી તેના પથ્થરમાંથી એક મસ્જિદ બનાવી.
તેણે ગુજરાતનાં શહેરો અને ગામોમાંથી સૈયદે, કાઝીઓ, મૌલવીઓ અને
1 મુસ્તફાબાદ નામ અલ્પજીવી હતું. જુઓ પ્રકરણ ૧લું. 2 મિરાતે સિકંદરી. 3 ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા, કર્નલ ટેડ. જૂ.ગિ-૧૪