________________
ચુડાસમા વંશ ઃ ૧૦૩
નરસિંહ મહેતાની રચનાઓમાં શબ્દોની સુગ્ય પસંદગી, ઉપમા, અલંકાર, પ્રાસાનુપ્રાસ આદિ પિંગળના પ્રત્યેક અંગઉપાંગ પણ સંપૂર્ણ અને શુદ્ધ હેવાનું જણાય છે.
આ મહાન વિભૂતિને જનાગઢમાં કયાં નિવાસ હતો તે જાણી શકાયું નથી પણ મજેવડી દરવાજા પાસે આવેલા નરસિંહ મહેતાના ચરા નામે જાણીતા સ્થાનમાં તે રહેતા હશે અથવા નગરનું નિવાસસ્થાન તજી પાછળથી ત્યાં ગયા હશે એમ માનવામાં આવે છે. - નરસિંહ મહેતાની કીર્તિ તેમના જીવનકાલમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાહ અને ઉત્તર ભારતમાં પ્રસરી ગઈ. મીરાંબાઈ, સૂરદાસ, ઈસરદાન વગેરે મહાન ભકતાત્માઓએ તેની મહત્તા ગાઈ છે. કબીર અને ગુરુ નાનક જૂનાગઢમાં તેના દર્શને આવેલા. તેના મૃત્યુ પછી તેની કીતિ સમસ્ત ભારતમાં પ્રસરી ગઈ. ઈ. સ. ૧૪૮૧માં સૌરાષ્ટ્રની યાત્રાએ આવેલા ગોવિંદ સ્વામીએ “ભકિત દર્પણ નામનો ગ્રંથ લખી ઈ. સ. ૧૪૯માં પૂર્ણ કર્યો તેમાં લખ્યું
सौराष्ट्र जीर्ण दुर्गेच भर नृसिंह नागरम् द्रष्टवा दुःखमय हारोऽद दामोदर स्वयम् ॥'
આજ પણ ભારતભરમાં ભાવિક લે નરસિંહના નામ ઉચ્ચાર સાથે જ તેને નમન કરે છે અને જૂનાગઢવાસીઓ નરસિંહની જન્મભૂમિમાં જનપ્યા છે તે માટે તેમને પ્રણામ કરે છે.
ગુરુનાનક અને સંત કબીર જૂનાગઢ આવેલા અને નરસિંહ મહેતાને મળેલા તેમ આ મહાપુરુષોના જીવનચરિત્ર લેખકે માને છે.”
મહમૂદ બેગડાનું રાજ્ય સ્થપાયા પછી નરસિંહ મહેતા જૂનાગઢમાં રહ્યા કે નહિ તે નિણત થઈ શકતું નથી તેમ માંગરોળ કે ઉના ગયા હેવાને કેઈ આધાર નથી. સંસારથી અલિપ્ત એવા મહાન પુરુષને તે રાજય પરિવતનની કાંઈ અસર થાય નહિ તે સ્વાભાવિક છે. તેણે શેષ જીવન જૂનાગઢમાં જ વિતાવીને ઈ. સ. ૧૫૮૦ લગભગ તેના પાર્થિવ શરીરનો ત્યાગ કરી મેક્ષા
1 શ્રી જગજીવનરામ નરભેરામ બધેકા, ગુજરાતી', તા. ૪-૧-૧૯૭૩. 2 છે. ક્રિપાલસિંહ, પંજાબ યુનિવર્સિટી તથા કે. કે. સી. ભટ્ટ, રાજપીપળા.