SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૂનાગઢ અને ગિરનાર મહેતાજી કડે એમ ન કીજે ધ રામાનંદ મુન્યજી, રાય દામોદરે હાર આપ્યો તે રાહ માંડલિકનું પુન્યજી. આ પ્રસંગ વિ. સં. ૧૫૧રના માર્ગશીર્ષ શુકલા ના રે જ બને અને શાહ મલિકનું પતને ૧૫૨૮માં થયું. ત્યાં સુધી નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા. સ્વ. શાસ્ત્રી રેવાશંકર મેધજીએ એવું અનુમાન કર્યું છે કે આ પ્રસંગ પછી તે જૂનાગઢ તજી દઈ માંગરોળ રહેવા મયા અને ત્યાંથી ઉના ગયા, જ્યાં તે મુકિત પામ્યા. આ વિધાનને કઈ સબળ પ્રમાણે ટેકો નથી. નરસિંહ મહેતાને એક માત્ર પુત્ર શામળદાસ તેની હયાતીમાં જ ગુજરી ગયેલો પરંતુ તેની વિધવા કમળાલમાં ઉફે જુઠ્ઠીબાઈએ તેની અંત પયત સેવા કરી. કમળાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરના મદન મહેતાની પુત્રી હતી અને કવયિત્રી હતી. આજે નરસિંહને નામે ચડેલાં ઘણાં પદો તેણે લખ્યાં હોવાનું કહેવાય છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનાં લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર વત્સરાજ સાથે કરેલાં. તેને એક પુત્ર નામે ભવાનીપ્રસાદ હતા. નરસિંહ મહેતાને પુરુષ વંશ હત નહિ પણ તેના કાકા પરબત મહેતાના વંશમાં આજ વૈશ્નવ, બક્ષી અને મજમુદાર અવટંકથી ઓળખાતાં નાગરકુટુંબે છે. ' નરસિંહ મહેતા ગુજરાતના આદિ-કવિ ગણાય છે. તેની કવિતા મૌલિક, ભાવવાહી અને મધુર છે. તેણે આ કાવ્ય કેઈની સ્તુતિ, ગ્રંશસા કે ધન્યવાદ મેળવવા માટે કે કેઈની નિંદા કરવા માટે લખ્યાં નથી, તેમ તેનાં કાવ્યું કે કવિત્વશક્તિ માટે કે શું કહેશે તેની પરવા કર્યા વગર હદયનાં શંકણોમાંથી પ્રભુપ્રેરણા પામી લખેલાં છે. તેમાંથી ભકિત, ઉપાસના, ઉપદેશ, માર્મિક કટાક્ષ, બેધ અને શ્રદ્ધાનાં અમૃત નીતરે છે. આ કાવ્ય વર્ણનાત્મક, વ્યવહારુ અને વિશિષ્ટ છે અને તેથી જ પાંચ પાંચ સદીઓ વીત્યા છતાં તે જેવાં ને તેવાં જ લોકપ્રિય અને લોકભોગ્ય રહ્યાં છે. સૂરત સંગ્રામનું કાવ્ય તેનું લખેલું નથી તેમ ઘણા વિદ્વાને માને છે. શ્રીહરિના પરમ ઉપાસક અને પૂર્ણ વેદાંતી સંત સુરંત સંગ્રામ ન જ લખે તે સ્વાભાવિક છે. અમુક વિદ્વાને માને છે કે સુરત સંગ્રામ તેને જ લખેલે છે તે પણ તેનું આધ્યાત્મિક અર્થઘટન કરવું જોઈએ. એ જ રીતે “ગિરિ તળેટી ને કુંડ દામોદર” જેવાં અનેક પદે, ભજન અને પ્રભાતિમાં પણ અન્ય કવિઓએ લખ્યાં છતાં નરસિંહ મહેતાને નામે ચડી ગયાં છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy