________________
અને કથાઓ પાછળ સમાજનાં સ્ત્રીપુરુષો ઘેલાં બન્યાં હતાં
અનુયાયી થયા હતા. પ્રજાના જીવનમાંથી વિદાય લઈ ગયેલી શ્રદ્ધા, શાંતિ, આસ્થા અને ધર્માભાવનાને આ મહાન તપસ્વી તેનાં આખ્યાના દ્વારા પાછાં વાળી રહ્યા હતા ત્યારે શુષ્ક વેદાંતના ઉપાસી સંન્યાસી રામાનંદી જૂનાગઢની શેરી શેરીમાં ગાજતા થયેલા નરસિંહ મહેતાનાં પદ્મ અને ભજનાથી ક્રાતિ થઈ ગયા. તેણે રાહ માંડલિકને કહ્યું કે નરસિંહ ધૂત છે, મેલી વિદ્યાના જાણકાર છે અને તે વિદ્યાના બળે લેાકાને પાખંડ મત પ્રતિ દેરી જાય છે. રાહ માંડલિક સ્વયં વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતા. તેણે નરસિંહ. મહેતાને મેાલાવી તેની અને રામાન તીથ વચ્ચે શાસ્રા કરવાનું કહી એક સભા કરી. અને પક્ષાના માણુસા મેાટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને જ્યારે નરસિંહ મહેતાના સિદ્ધાંતાની વિરુદ્ધ રામાન તીથ કાંઈ સખળ તર્ક કરી ન શકયા ત્યારે લોકામાં પક્ષા પડી ગયા અને મારામારી ઉપર આવી ગયા. રાહે વિવાદ બધ કરાવી દીધા અને રામાનંદતી ના કહેવાથી કહ્યું કે “જો દામેાદરરાયજી તમને હાથેાહાથ તેના ગળામાં આરેાપેલા હાર પહેરાવે તેા હુ` માનીશ કે તમે સાચા છે, જો તેમ નહિ બને તે તમે ધૂત છે એમ માની દેહાન્તદંડ આપીશ.'
આમ કહી રાહે તેને હઢબેડીમાં નાખી એકાંત કેદમાં પૂર્યો અને દામાદરરાયની ગ્રીવામાં પુષ્પહાર પહેરાવી મંદિરને તાળાં મારી દીધાં. જેને લાભ, અલાભ, જય, અજય, જીવન અને મૃત્યુ સરખાં હતાં તેવા આ પરમ વેદાંતીને કેદનું કે કષ્ટનું કંઈ પડયું ન હતું પણુ તેમાં શ્રીકૃષ્ણની અપકીતિ થશે અને જનતામાં તેના પ્રત્યે પ્રગટેલી ભાવના નષ્ટ થશે તે દુઃખ હતું. કહેવાય છે કે આખી રાત નરસિંહ મહેતાએ ભજના ગાવાનું ચાલુ રાખ્યું પણ ન હાર આવ્યા ન મુકિત થઈ. અંતે તેને સ્મરણ થયું કે કેદ્દારા ' રાગ ગાયા સિવાય શ્રીંકૃષ્ણે જાગશે નહિ અને કેદારા તા વ્યાપારીને ત્યાં દુકાને ગીરા પડયા છે. શ્રીકૃષ્ણે દ્વારા છેડાવી તેનું ખત નરસિંહના ખાળામાં નાખ્યું અને મહેતાજીએ કેદારા છેડયા. સધળી સભા જોતી રહી એમ મંદિરનાં દ્વારા ખૂલી ગયાં અને હાર આપમેળે આવી નરિસંહના કંઠમાં આરેાપાયા.
રાહ માંડલિકે તેનાં ચરણ ઝાલી પોતાનાં આંસુથી પલાળ્યાં અને ક્ષમા માગી. મહાત્મા નરસિહ મહેતાએ માત્ર કલ્યાણુ ઈંન્ગ્યુ. અને જ્યારે રામાનંદતીર્થ' માંડલિકને ક્રેાધપૂર્ણ વયના કહેવા માંડયા ત્યારે મહેતાજીએ તેને કહ્યું કે ઃ
-