SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦: જૂનાગઢ અને ગિરનાર તે નહિ ઘરના સુખી અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા ગૃહસ્થ હતા. શ્રી બધેકા લખે છે કે પરબત મહેતા માંગરોળના શેખના કામદાર હતા તે વાતો કાલ્પનિક અને હાસ્યાસ્પદ છે. માંગરોળમાં ત્યારે કોઈ શેખ હતા નહિ પણ નરસિંહ મહેતાનું કુટુંબ ત્યારે માંગરોળમાં વસતું અને ત્યાંથી કેઈ કારણસર જૂનાગઢ આવ્યું. - નરસિંહ મહેતાએ ગૃહસ્થાશ્રમ કર્યો. તેનાં પત્ની માણેકબાઈથી તેમને એક પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ થયાં. નરસિંહ મહેતા ગૃહસ્થાશ્રમને નિભાવવા કોઈ વ્યવસાય પણ કરતા હતા પણ પ્રચલિત વાર્તા છે તે પ્રમાણે ભાભીના મહેણાથી, પૂર્વજન્મના કઈ સંસકારો જાગૃત થતાં તેમણે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં હૃદયને ભકિત અને વૈરાગ્યના રંગમાં રંગી નાખ્યું. - નરસિંહ મહેતાએ જ્ઞાન મેળવવા ગોપનાથની આરાધના કરી તેને પ્રસન્ન કર્યા. મહાદેવ તેને વૈકુંઠમાં લઈ ગયા જ્યાં શ્રીકૃષ્ણ રાસ રમતા હતા તે જેવા હાથમાં દિવેટ લઈ નરસિંહ મહેતા ઊભા. રાસ દર્શનમાં એટલા તલ્લીન થઈ ગયા કે મશાલ બળતાં બળતાં હાથ બળવા માંડે તો પણ તેને શુદ્ધ રહી નહિ. શ્રીકૃષ્ણની પ્રસન્નતા અને વર મેળવી તે પાછા જૂનાગઢ આવ્યા. તે પછી શ્રીકૃષ્ણ, તેના પુત્ર શામળદાસના વિવાહને પ્રસંગ ઉકેલી આપે, પુત્રી કુંવરબાઈનું મામેરું પૂર્યું, તેના પિતાનું શ્રાદ્ધ કરાવી આપ્યું, યાત્રાવાસીઓને લખી આપેલી હૂંડી સ્વીકારી લીધી અને એવા અનેક ચમત્કારે બતાવ્યા પણ નરસિંહ મહેતા તે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કહી એકની જ ઉપાસનામાં મસ્ત રહા. ને તે તેને શ્રીકૃષ્ણની મળતી સહાયથી થયો ગર્વ ન તે વારંવાર આવતી આફતો માટે શોક થ. મધ્યકાલીન સમાજમાં ભક્તો અને ભગવાનના સંબંધની, ચમત્કારે. આદિની વાર્તાઓ પ્રચલિત હતી. નાના મોટા આવા પ્રસંગને મોટું સ્વરૂપ આપવામાં આવતું અને મહાન પુરુષોની મહત્તાનાં વર્ણને કે તેમની સ્તુતિ તે પ્રકારે થતી. આ ચમત્કારોને સાચા માનવામાં આવે, અતિશયેક્તિ ભરપૂર માનવામાં આવે કે બેટા માનવામાં આવે પણ સારાંશ એ રહે છે કે આવા વેદાતી, ભક્ત અને વીતરાગી દૈવી પુરુષને સમાજે કષ્ટ આપ્યું હશે અને પ્રત્યેક પ્રસંગે પરમાત્માએ તેની પ્રતિષ્ઠા રાખી હશે. જૂનાગઢમાં તે એક અતિ આદરણીય પુરુષ હતા. તેનાં ભજને, કીર્તને
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy