SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ ઃ ૦૯ કાઢી છે તેમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તે કહે છે કે, “નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં સર્વભૂતની આત્મારૂપે એકતા સિદ્ધ કરી હતી, તેણે સર્વ માયાથી પર જઈ આદિ શંકરાચાર્યના નિર્વાણ દશક પ્રમાણે શિવરૂપ થઈ શ્યામ પ્રેમને ભજ્યા અને શિવયામની એકતારૂપ વૈષ્ણવતા બતાવી.” આ વિદ્વાન લેખક નરસિંહ મહેતાનાં લખેલાં હેવાનાં કેટલાંક પદે અને કાલે બીજા કેઈએ લખી નરસિંહ મહેતાના નામે ચડાવી દીધાં હોવાનું સતક અને સપ્રમાણ વિધાને કહે છે. આ વસ્તુ પણ નિષ્પક્ષપાત અને તટસ્થ વિચારકની અવશ્ય વિચારણા માગી લે છે. ગમે તેમ હેય પણ આજ પાંચ પાંચ સદીઓથી નરસિંહ મહેતાના જીવનના અદ્દભુત પ્રસંગો વાર્તાઓમાં, કાવ્યોમાં, આખ્યામાં, નાટકમાં, કથાઓમાં અને ભજનમાં વર્ણવાય છે અને તેમાંથી પ્રજાને મોટો સમુદાય ભક્તિ, નીતિ, સત્ય અને શ્રદ્ધાની પ્રેરણા મેળવે છે અને પિતાના જીવનને ઉજજવલ કરે છે - નરસિંહ મહેતા જે કાળમાં જનમ્યા અને જે કાળે, તેમને વિદ્યાભ્યાસ થયો તે કાળ હિંદુઓ માટે ઘણું જ વિષમ હતું. ગુજરાતના બળવાન સુલતાન અહમદશાહે સૌરાષ્ટ્રમાં ઈસ્લામને પ્રબળ પ્રચાર શરૂ કરેલી અને હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને પ્રણાલીને ઉચછેદ કરવાની પ્રવૃત્તિ પૂરજોશમાં હતી. આ સમયમાં જૂનાગઢની ગાદીએ ગુજરાતના સુલતાનનું સાર્વભૌમત્વ સ્વીકારી તેના ખંડિયા તરીકે રાહ મેળેગ હતો તે અને તેના અનુગામી જયસિંહ પણ મુસ્લિમ શાસકો સામે માથું ઊંચું કરી શકે એમ હતા નહિ. પ્રજામાં હતાશા અને પરાજિત મનવૃત્તિ સિવાય કાંઈ હતું નહીં.' આ પ્રશ્ન એ થાય છે કે આવા વિષમ અને વિપરીત સમયમાં જ્યાં સ્વમાન સાથે જીવવાનું શકાય ન હતું અને જ્યાં સમાજમાં કે રાજ્યતંત્રમાં સ્થિરતા કે સલામતી ન હતાં ત્યાં નરસિંહ મહેતાએ ધર્મગ્રંથ, વેદ, ઉપનિષદો, પુરાણો મહાભારત, રામાયણ, સાહિત્ય અને કાવ્યના ગ્રંથો વગેરેનો અભ્યાસ કયારે કર્યો અને કેમ કર્યો હશે ? તેમને અભ્યાસ કેણે કરાવ્યો હશે? તેનાં કાવ્યોનું વાંચન કરતાં એમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે તેમણે વેદવેદાંગ, ઉપનિષદો, દર્શનગ્રંથ, પુરાણે, ઈતિહાસ, કાવ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર આદિને વિશિષ્ટ અભ્યાસ કર્યો હતો. તે ઉપરથી એમ પણ જણાય છે કે તેના પિતા અને પિતામહ શ્રીમંત 1 વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રને ઇતિહાસ, શ. હ. દેસાઈ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy