SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ પદ-૪ “સુહા T! ના અનુભવ ત” અધ્યાત્મયોગી શ્રી શ્રી આનંદઘનજીનાં પદો અતિ માર્મિક તથા અધ્યાત્મરસથી ભરપૂર છે. તેઓશ્રીના એક એક પદમાં ગંભીર ભાવો ભર્યા છે. તેઓશ્રીએ આ પદમાં આત્મા તથા આત્મપરિણતિ સંબંધી નિરૂપણ કર્યું છે. , સામાન્યરૂપક દ્વારા તત્ત્વનાં ઉત્તમ રહસ્યો ગૂંથી લેવા એ તો આ કવિને આગવી વિશેષતા છે. આત્મા અને તેની પરિણતિના શા સંબંધો છે તે અજ્ઞાની જીવો શું જાણે? એ તો જાણે ફકત અનુભવી. જેમ સુહાગરાતનું સુખ કુમારિકા શું જાણે? અને પ્રસૂતિની વેદના વંધ્યા શું જાણે? તેમ આત્મા તથા તેની પરિણતિનો આનંદ ભોગી, વિજોગી કે વિકારી શું જાણે? એ તો શુદ્ધભાવોના સંયોગી અને આત્મગુણોમાં ઉપયોગી એવા આનંદઘનજી જેવા મહાત્માઓ જાણે માટે જ કવિ કહે છે, સુહા ! નાની અનુભવ પ્રીત... સુહાન; નિન્દ ના ગયાનવ મિટ જ નિન રીત.. સુદા.. ? હે સૌભાગ્યવતી ! તારી સાથે સ્વરૂપજ્ઞાનની પ્રીતિ જાગૃત થઈ છે. અનાદિકાળથી અજ્ઞાનને કારણે મને ઊંઘ આવી ગઈ હતી. પરંતુ હવે તે પોતાના સ્વભાવે જ ઊડી ગઈ છે. ' આ કડી ચેતન, શુદ્ધ ચેતનાને ઉઠ્ઠીને કહે છે કે, હે સૌભાગ્યવતી ચેતના હવે મને તારી સાથે સાચી પ્રીતિ જાગી છે. આજ સુધી હું ખોટી ભ્રમણામાં હતો, જેમાં સુખ ન હતું તેમાં મેં સુખ માન્યું હતું. હું પૌદ્ગલિક સુખો મેળવવા અને મેળવ્યા પછી ભોગવવામાં મસ્ત હતો. વળી તે કોઈ મારી પાસેથી લઈ ન જાય તેની ચિંતામાં રહેતો હતો. પરંતુ હવે મને તારી અજ્ઞાનદશાનું ભાન થયું છે. અત્યાર સુધી મોહમદિરામાં ચકચૂર થઈ હું ફરતો રહ્યો હતો અને ચારે બાજુ અથડાતો હતો પણ હવે મોહ મદિરાનો નશો થોડો ઉતરી જતાં મને મારી વાસ્તવિકદશા જાગૃત કરવાની
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy