________________
અનુભવ રસ
૧૨ કે ડાળખીએ મને પકડી રાખ્યું છે, પણ તે સ્વયં ડાળી છોડતું નથી. તેવી રીતે વિષયભોગમાં આસકત પ્રાણી, કાળને નજીક આવતો જાણી આર્ત બની જાય છે. પરંતુ વિષયોથી વિરામ પામતો નથી પણ આનંદઘન સ્વરૂપ આત્મામાં રહેલ જ્ઞાન-દર્શનાદિ રત્નત્રયનો ત્યાગ કરી દે છે અને કંકરસમાન સંસાર ભોગને ગ્રહણ કરે છે તે હિતાહિતને વિચાર કર્યા વિના જ અક્ષય અને અવિનાશી આત્માનંદની પ્રાસિરૂપ સાધનોનો સંસાર ભોગમાં ઉપયોગ કરવામાં જીવનની સફળતા માને છે અને અંતે કાળબાજના સકંજામાં ફસાઈ હંમેશાં માટે વિદાય લઈ લે છે પરંતુ સંસારમુક્ત અવસ્થા કેળવતો નથી.
આ પદનો સાર છે જીવની અજ્ઞાનદશા અને તેને કારણે ભોગવવા પડતાં અનેક કષ્ટો. માણસ હીરા જેવા માનવ દેહને રોળી નાખે છે અને પછી પ્રશ્ચાતાપ કરે છે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
t'
ITIV8
*: