________________
અનુભવ રસ છે. આ સ્થિતિને જૈનદર્શન “સમ્યકત્વ પ્રાપ્તિની અવસ્થા કહે છે. - કવિ આનંદઘનજીએ આ પદની પ્રથમ કડીમાં લાક્ષણિક શૈલીએ.
શ્લેષયુક્ત વિચાર રજૂ કરી બીજી કડીમાં પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દો કેવલ, કલા, કાલ, કલે, અકલ વગેરે શબ્દો પ્રયોજીને તેમાં ગુઢાર્થ ભર્યો છે અને ત્રીજી કડીમાં આત્માનુભવની મહત્તા દર્શાવી છે. આવા આનંદઘન સ્વરૂપ આત્માનુભવરસનું પાન જે કરે છે તે નિશ્ચયથી અમરત્વને પ્રાપ્ત કરે છે.