________________
અનુભવ રસ
જાણવા ઈચ્છું છું, જે આ બાહ્ય ઘડિયાળથી શ્રેષ્ઠતમ હોય.
આત્મા આવી એક ઘડીને પ્રાપ્ત કરી લે તો જન્મમરણનો ભાર ઊતરી જાય છે. પણ તે માટે આત્માના અતલ ઉંડાણમાં પહોંચવું પડે. તે સિવાય આ સર્વોત્તમ ઘડિયાળ (ઘડી ) પ્રાપ્ત થતી નથી. આત્મઅનુભવ રસથી ભરેલી આ ઘડીમાં બીજી કોઈ વસ્તુનો સમાવેશ થતો નથી. આત્માની આ અકળારૂપ ઘડીને જાણનાર કોઇક વિરલા પુરુષોજ હોય છે. માટે શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે,
८
आतम अनुभव रस भरी, यामे और न भावे; “જ્ઞાનંવધન" અવિચલ હતા, વિના જોરે પાવે રે... વૃત્તિ રૂ ૫ આત્મસ્વરૂપની ઊંચી વાતો કરવી તે વિદ્વતાનું કામ છે ત્યારે તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો તે જ્ઞાની પુરુષોનો વિષય છે.
આ ઘડિયાળ આત્મઅનુભવ રસથી ભરેલી છે. જેમાં સ્વ-૫૨ના જ્ઞાન સાથે હૈય–ઉપાદેયનો વિવેક જાગે અને સ્વ ને સ્વીકારી, ૫૨ને પડતું મૂકતા જે અનુભવાય તેને અનુભવ કહેવામાં આવે છે. તેને પોતામાં એકત્વ અને ૫૨ભાવનું અન્યત્વ અનુભવમાં આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય લાગે છે. તેમજ વિષયકષાય યુક્ત ભાવો ત્યાજય લાગતાં સંસાર પ્રત્યેની મમત્વ બુદ્ધિથી જીવ મુક્ત થતો જાય છે.
ન
આવા આત્માનંદ અનુભવ૨સ તથા તત્ત્વ પ્રીતિકર રસથી ભરેલી આ ઘડી છે. ઘટમાં વસેલી આ ઘડીના રસનો જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાં સુધી તેનું જ્ઞાન થતું નથી. સત્ય સ્વરૂપ પામવા તે તરફના દેઢ નિશ્ચય વિના તે તરફ પ્રયાણ થતું નથી માટે આવી અકળકળાને જાણવા પુરુષાર્થરત રહેવું અનિવાર્ય છે. પુરુષાર્થથી ભાગ્ય ખૂલતાં આ ઉત્તમ પ્રકારની અકળકળા સાધ્ય થઈ જાય છે તેમાં નિરંતર આનંદ છે, સુખ છે. નિર્વિકારી પ્રેમ છે. ત્યાં ઈચ્છા, આશા, શોક, ભય કે ખેદ નથી પરંતુ સ્વ૫૨ અનુભવનો એક રસ જ ભરેલો છે. જે આવા અનુભવરસનું પાન કરે છે તે જ તેનો ભોક્તા બને છે.
આ સાધક આત્મસ્વરૂપ તરફની રુચિવાળો થાય છે અને રુચિ અનુસાર જ્યારે વીર્ય ઉલ્લાસ પ્રગટે છે. ત્યારે કર્મોનાં ગાઢ આવરણ અમુક સમયે ખસી જાય છે. આવી સ્થિતિએ કોઈ વિરલા જ પહોંચી શકે