SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ છે. જ્યારે આ એક ઘડી પૂરી થાય ત્યારે ઘડિયાળી જોરથી ડંકો વગાડી ગામના લોકોને ખબર આપતો હતો. અત્યારે કેટલેક સ્થળે જેમ દર કલાકે ઘંટ વગાડવાની પ્રથા છે તેમ, તે વખતે દરેક ઘડીએ ડંકા વગાડવાની યોજના હતી. માટે જ કવિ કહે છે કે હે ઘડિયાળી! તું શું જોઈને ઘંટ વગાડે છે? કારણકે મનુષ્યો તો પોતાના માથે જ પાઘડી ૧-૪ રાખે છે અથવા પાઘડી બાંધે છે. અહીંયા પાઘડી શબ્દ પર શ્લેષ છે. પાઘડી એટલે માથે બાંધવાનું વસ્ત્ર. વળી પાઘડી એટલે પા+ ઘડી એટલે ઘડીનો ચોથો ભાગ. મનુષ્યો પાઘડી સૂચવનાર વસ્ત્ર તો પોતાને માથે જ રાખે છે પણ જો તું કાંઈ વધારે બતાવવા માંગતો હોય કે પળ વિપળ બતાવતો હોય તો ઘંટ વગાડ બાકી ઘડી વગાડવાનો પ્રયાસ નકામો છે. ઘડિયાળી ઘડી વગાડી બધાંને જાગૃત કરે છે કે એક ઘડી પસાર થઈ ગઈ. આવી રીતે જે પળ ગઈ તે પાછી આવતી નથી. આ રીતે ઘડી-ઘડી કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. નથી ખબર ક્યારે અને કઈ સ્થિતિમાં પ્રાણ નીકળી જશે? તે માનવ તો કાંઈ જાણી શકતો નથી. માટે જ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ ને કહ્યું હતું કે હે ગૌતમ! "कुसुग्गे जह ओस-बिन्दुए, पोवं चिठ्ठइ लम्बमाणए। एवं भणुयाण जीवियं, समयं गोयम! मा पमायए।" . આ સંસારમાં ઘડીનો તો શું, પાઘડીનો પણ ભરોસો નથી. ઘાસના અગ્રભાગ પર પડેલું ઝાકળનું બિન્દુ તેને ખરી જતાં વાર શી? તેમ આયુષ્ય પૂર્ણ થતાં પણ વાર લાગતી નથી માટે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા જરા પણ વખત ન ખોતાં, પ્રમાદનો ત્યાગ કરી સ્વરૂપાનુંસંધાન કરી લે. અને તેની કળા જાણી લે. કવિ બીજી કડીમાં કહે છે, केवल काल कला कले, वै तु अफल पावै; વન ના ઘર ઘર, મુન સો ઘર ભાવે.. રે. ઘર ૨ આ બાહ્ય ઘડિયાળ તો બાહ્યસમયને બતાવે છે તથા માનવને ભૌતિક જગતથી જાગૃત કરે છે ત્યારે કવિ કહે છે કે મને તો મારી અંતરની ઘડિયાળ રુચે છે, જેમાં સમયે સમયે આત્માના અનંત ગુણોની પર્યાયની ઉત્પત્તિ – લય થયા જ કરે છે. હું મારા અંતરઘટની ઘડીને
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy