________________
અનુભવ ૨સ
S
પદ-૨
પેરિયારી વાહ રે” અનુભવના આનંદનું અમૃતપાન કરતાં અને કરાવતાં અદ્ભુત યોગી શ્રી આનંદઘનજી મહારાજસાહેબે આ પદમાં અમૃતરસ ફૂપ ભર્યો છે.
શ્રી આનંદઘનજી મહારાજે પહેલા પદમાં આત્માને જગાડવા ઉદ્ધોધન કર્યું છે ત્યારે બીજા પદમાં આત્માને ભોગલિપ્સાથી અલિપ્ત બનાવવા પ્રેરણા કરી છે.
रे घरियारी बाउ रे, मत धरिय बजावे નર શીર વાંધત પાથરી, તું ય ઘરીયા વેળાવે. રે... રૂ .
અરે! ભોળા ઘડિયાળી! તું ઘડી ના વગાડ, કારણકે માનવ પોતે જ પોતાના માથા ઉપર પાઘડી બાંધે છે પછી તું શા માટે ઘડી બજાવે છે? શ્રી મુનિરાજે આ પદમાં ઘડિયાળીને પ્રશ્ન કર્યો અને પછી તેને જ કહેવામાં આવ્યું છે કે તારો આ પ્રયત્ન બિલકુલ નિરર્થક છે.
• કવિએ માનવને જડજગતના સર્વ ભાવો તથા સંબંધોનું વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું છે. માનવપ્રાણીને પ્રમાદથી દૂર રાખવા અને અપ્રમાદભાવોને કેળવવા ઘડિયાળીનું દૃષ્ટાંત આપેલ છે. ઘડિયાળ એટલે સમયમાપક યંત્ર અર્થાત્ ઘડી એટલે સમયની નાનામાં નાની ક્ષણ, છતાં પણ સ્થૂલ બુદ્ધિવાળાંજીવોને જાગૃત કરવા પૂલ દષ્ટાંતની જરૂર પડે છે. તેને નજરમાં રાખી આ પદમાં “ધરશબ્દ પ્રયોગ કર્યો છે.
પહેલાંના વખતમાં આજના જેવી ઘડિયાળ ન હતી ત્યારે સમયનું માપ કાઢવા જુદી જુદી પદ્ધતિ અપનાવવામાં આવતી, જેમકે એક પાણીથી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને પાણીમાં ડૂબી જાય ત્યારે એક ઘડી (૨૪ મિનિટ) થાય અથવા કાચની બે જોડેલી શીશીમાં અતિસૂક્ષ્મ છિદ્ર દ્વારા એક શીશીની રેતી બીજી નીચેની શીશીમાં સરકી જાય તથા ઊપરની શીશી સાવખાલી થઈ જાય ત્યારે એક ઘડી થઈ કહેવાય છે. ૨૪ મિનિટની એક ઘડી થાય. આ રીતે એ સમયનું માપ હતું. આ સમયમાપક સાધનને “ઘડી” કહેવામાં આવે