________________
અનુભવ રસ
કવિશ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે,
इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउरे, भमत भमत भव जलधि पायले, ભગવંત મનન વિના ભાઇ ના રે... જ્યા... ।। ૨ ।।
ઇન્દ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મુનિવરો તો ચાલ્યા ગયા તો પછી. ચક્રવર્તીઓ કે રાજા મહારાજા શું હિસાબમાં ? માટે સંસા૨પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય ભવમાં પ્રભુની ભક્તિરૂપ નાવ મળી છે. તો તેનો ઉપયોગ કરી લે. તેના સિવાય તું બીજી કઈ નાવમાં બેસીશ ?
કવિએ આ કડીમાં કાળની ગતિની તથા આયુષ્યની ક્ષણિકતાની વાત કરી છે. હે પ્રાણી ! તું પ્રમાદમાં પોઢયો છો પણ વિચાર તો કર કે મોટા મોટા મહારથીઓ પણ કાળનો કવલ બની ગયા છે. કબીર કહે છે, “ડરે દેવતા કાળસે, ભયભીત હૈ જમકા જોર,
રૈ પૃથ્વી - પાતાલમેં ગજબ મૌતકા દૌર”
66
ત્રણેય લોકમાં કાળરાજાનું જોર છે અને દરેક સ્થળે તેનો પ્રભાવ જણાય છે માટે સંસારસમુદ્રને ત૨વાનો જો કોઈ માર્ગ હોય તો તે એક જ છે કે તું ભક્તિરૂપી નૌકા હાથ લઈ લે અને તેનો ઉપયોગ કરી લે. તેથી તું સંસારસાગર પાર કરી મોક્ષપદને પ્રાપ્ત કરી લઈશ.
તેથી જ કવિશ્રી આનંદઘનજી મહારાજ ત્રીજી કડીમાં આગળ પણ કહે છે,
कहा विलंब करे अब बाउरे, तरी भव जलनिधि पार पाउ रे; “જ્ઞાનંવધન” વેતનમય મુતિ, શુદ્ધ નિતંબન વેવ ધ્યાત્ત રે। જ્યા... ।।રૂ ।। હૈ મૂઢ ! હવે વિલંબ શા માટે કરે છે ? તું સ્વયં ભગવાન સ્વરૂપ છો. તું જ તારી નૌકાનો ખેવનહાર છો એમ શ્રદ્ઘા કરી, આનંદઘન સ્વરૂપ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મપ્રભુનું ધ્યાન કર.
કે ગમાર ! તને ભગવાનની ભક્તિરૂપ નૌકા મળી છે તો પછી ઢીલ શા માટે કરે છે ? આજે તને મોક્ષપ્રાપ્તિનાં સર્વ સાધનો પ્રાપ્ત થયાં છે. માટે તું તારા આત્મપ્રભુનું ધ્યાન કરી લે. માનવ જેવું ધ્યાન કરે તેનાં જેવો તે થાય. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મપ્રભુના ધ્યાનથી આત્મપ્રભુની પ્રાપ્તિ થાય છે. તેમ કરવાથી તને તારામાં જ ભગવાન દેખાશે. તારામાં