________________
અનુભવ રસ
| ૐ શ્રી સદ્ગુરવે નમઃ | | ૐ શ્રી તપસ્વી ગુરવે નમઃ |
Iક
પદ-૧
હીં
“યા તો ૩૪ ના લાકરે" અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજના શ્રીમુખે જાણે કે સાક્ષાત્ સરસ્વતીદેવીએ વાસ કર્યો હોય અને તે મુનિજીની વાણીમાં ધારારૂપે વહી રહ્યા હોય તેવું લાગે છે. શ્રી આનંદઘનજીની આ વાણીમાં અનુભવનું અમૃત અનુભવાય છે. તેઓશ્રીનાં વચનો જાણે કે સાધનાની સરાણે ચડેલ મોતી હોય તેવું શ્રદ્ધાન થયા કરે છે. માતૃહૃદયી સંતો મુમુક્ષોઓને વાત્સલ્ય વાણીરૂપ અંજલિ વડે છંટકાવ કરી જાગૃત કરે છે.
શ્રી આનંદઘનજી મહારાજ આ પદ દ્વારા જગતના જીવોને આત્મજાગૃતિ કરાવે છે. મોહનિદ્રામાં પોઢેલ પ્રાણીને પોતાની આત્મદશાનું જ્ઞાન કે ભાન નથી. તેથી જ પરમાત્મરૂપ આત્માની વાસ્તવિકતાનું દર્શન કરાવતા તેઓશ્રી પ્રસ્તુત પદનો પ્રારંભ કરતા કહે છે.
क्यां सोवे उठ जाग बाउरे।। क्या अंजलि जल ज्युं आयु घटत हे।
રેત પદોરિયાં ઘરિય થાય છે. જ્યા રૂાા અરે, એ ભોળા પ્રાણી! તું સૂઇ રહ્યો છે કેમ? ઊઠ, જાગ જેમ ખોબામાં રાખેલું પાણી ધીમે ધીમે વહી જાય છે, તેમ આયુષ્યરૂપી પાણી પણ ઘટતું જ જાય છે. પ્રહર (સમય) જણાવવા જેમ પહેરેગીર પરહ ઉપર ઘા મારે છે ને લોકોને જાગૃત કરે છે તેમ સંતો પણ પહેરેગીરનું કામ કરે છે.
ઉદયાધીન પ્રાણી, કર્મને વશ બની અનાદિકાળથી પરમાં સ્વ બુદ્ધિ રાખી, મોહનિદ્રા લઈ રહ્યો છે. જ્ઞાની સંતો પહેરેગીરનું કાર્ય કરી અજ્ઞાની જીવોની ઊંઘ ઉડાડે છે તથા સ્વરૂપદશાનું જ્ઞાન કરાવે છે. કર્મ તથા નોકર્મને કારણે પ્રાપ્ત સુખ – દુઃખાદિ તથા શરીરાદિ સામગ્રી આ બધા