SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ 68 હું તે કપડામાંથી તાવને પાછો શરીરમાં સ્થાપી દઈશ.” ૧ (૧૨) વચનસિદ્ધિ. શ્રી આનંદઘનજી મહારાજ વિષે લોકોમાં એવી માન્યતા હતી કે તેમને વચનસિદ્ધિ પ્રગટ થઈ છે. જે મનુષ્ય ભાષાસમિતિનું સમ્યફ પાલન કરે છે અને વચનગુપ્તિમાં વિશેષ કાળ રહે છે તેમજ નાભિ કમળમાં ધ્યાન ધરી પરાભાષામાં કલાકોના કલાકો પર્યત લીન થઈ જાય છે તેને વચનસિદ્ધિ પ્રગટે છે. (૧૩) ચોવીશી સંબંધી કિવદન્તી “શ્રીમઆનંદઘનજી કૃત સ્તવનચોવીશી સંબંધી એવી એક દંતકથા છે કે શ્રી આનંદઘનજી એક વખત શત્રુંજયગિરિ ઉપર શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શન કરવા ગયા હતા, તે વખતે યોગાનુયોગ શ્રી યશોવિજયજી તથો જ્ઞાનવિમલસૂરિ પણ યાત્રાર્થે ગિરિરાજ ઉપર જતા હતા. ગિરિરાજ ઉપર જઈ શ્રી આનંદઘનજી મહારાજ એક જિનમંદિરમાં ભાવસ્તવના કરવામાં લીન બની ગયા, તે સમયે ઉપાધ્યાયશ્રી અને શ્રી જ્ઞાનવિમલસૂરિજી શ્રી આનંદઘનજીની જાણમાં ન આવે, એ રીતે ત્યાં બેસી ગયા અને સ્તવન સાંભળવા લાગ્યા. શ્રી આનંદઘનજી મહારાજે પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનથી આરંભીને બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સુધીના તીર્થકરની સ્તવના : કરી. પછી કોઈક કારણસર પ્રસંગ પામીને શ્રી આનંદઘનજીએ અચાનક પાછળ દૃષ્ટિ કરી તો શ્રી ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલસૂરિજીને જોયા. એથી ભાવની એકાગ્રતામાં વિક્ષેપ પડતાં શ્રી આનંદઘનજીના નાભિકમળમાંથી નીકળતા ભાવવાહી ઉભરાઓ સંકોચાઈ ગયા. શ્રી આનંદઘનજી તરત જ ઊભા થયા અને ત્યાંથી અન્યત્ર ચાલી નીકળ્યા એટલે શ્રી પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાનનાં સ્તવનોની રચના અપૂર્ણ રહી. ૧ ૧. આનંદઘન પદ-ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૬૦. ૧. આનંદઘન પદ ભાવાર્થ ભા.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy