________________
66.
અનુભવ રસ આનંદઘનજી કોઇને કહ્યા વગર વિહાર કરીને ચાલ્યા ગયા, પેલો વણિક આનંદઘનજીના ખંડમાં ગયો તો, ત્યાં આનંદઘનજી દેખાયા નહિ, પરંતુ તેઓ જ્યાં બેઠા હતા ત્યાં પોતાનો શેરીઓ દેખાયો તે સુવર્ણનો થઈ ગયો હતો. તે વેચીને વણિકે બધું જ દેવું ચૂકવી દીધું અને ઘણું ધન પામી સુખી થઈ ગયો.”
(૮) શિષ્ય કરો, નામ રહેશે “એક વખત આનંદઘનજી મારવાડના કોઈ ગામમાં એકાંતસ્થાનમાં રહી, આત્મધ્યાન ધરતા હતા. તે ગામના શ્રાવકો તેમની પાસે અવારનવાર આવતા હતા. એક દિવસ ગામના શ્રાવકોએ વિનંતી કરી કે “સાહેબ! આપની પાછળ આપનું નામ રહે તે માટે એક શિષ્ય કરો, શિષ્ય આપનું નામ રાખશે.”
આનંદઘનજીએ શ્રાવકોની વાત સાંભળીને પછી તેના ઉત્તર તરીકે હૃદયના ઉદ્ગારો કાઢતાં કહ્યું કે “અવધૂ! નામ હમારા રાખે. '
(૯) વ્યાપાર-માણેકચોક શ્રી આનંદઘનજી પાસે એક ગરીબ શ્રાવક આવતો હતો. તેના મનમાં એવો વિચાર હતો કે આનંદઘનજી પોતાને વેપારમાં કોઇક ચમત્કાર બતાવે તો પોતે પોતાનું દેવું ચૂકવી દઈ શકે અને ધંધો કરીને સુખી થાય.
એક વખત શ્રી આનંદઘનજી એકાંતમાં બેઠા હતા, તે સમય તે શ્રાવકે નિખાલસતાથી પોતે જે સેવા કરે છે તેનો ઉદ્દેશ નિખાલસતાથી કહ્યો. શ્રાવકની વાત સાંભળીને આનંદઘનજીએ આત્માના ખરા વ્યાપારનું
સ્વરૂપ સમજાવ્યું. આત્માની પાસે વ્યક્તધર્મની મૂળ રકમ થોડી છે અને કર્મરૂપ વ્યાજ ઘણું જ છે. આનંદઘનજીના મુખમાંથી તે વખતે નીચેની પંક્તિઓ સરી પડી – “મૂલડો થોડો, ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય.” આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ.: ૧૪૩ ૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિ સાગરજી મહારાજ પૃ.: ૧૨૧