________________
65
અનુભવ રસ શબ્દો બોલ્યા કે તરત પેલા શાહજાદાનો ઘોડો ત્યાં ઊભો રહી ગયો, શાહજાદાએ તેને ચલાવવા ચાબુક માર્યો પણ ઘોડો તસુમાત્ર પણ આગળ ચાલી શક્યો નહીં. શ્રી આનંદઘનજી તો ત્યાર પછી પોતાના સ્થળે ચાલ્યા ગયા. એટલામાં શાહજાદાના મિત્રો ત્યાં આવી પહોંચ્યા અને શું થયું તે પૂછયું. શાહજાદાએ કહ્યું કે “હું બીજુ કાંઈ જાણતો નથી. પરંતુ એક સેવડા (સાધુ) ની મેં મશ્કરી કરી તેથી તેણે મને કહ્યું કે “વાતશાહ 1 વેરા વહી રહે આટલું બોલતાં ઘોડો ઊભો રહી ગયો.” શાહજાદાના મિત્રોના કહેવાથી બીકાનેરના મહારાજાએ તપાસ કરાવી ઘણા પ્રયાસને અંતે સમાચાર મળ્યા કે “આ કામ તો શ્રી આનંદઘનજીનું લાગે છે માટે તેમની પાસે જાઓ.”
રાજા વગેરે શોધ-ખોળ કરતાં કરતાં આનંદઘનજી મહારાજની પાસે આવ્યા અને આનંદઘનજી મહારાજને ઘણી આજીજી કરી. આનંદઘનજીએ કહ્યું કે વીશાહ વેરા સંત સાધુત્રોને સંતતિા હૈ કૌર उनकी मश्करी करता है तो उसकी भी मश्करी होवें उसमें क्या આશ્ચર્ય હૈ?
એ વાત જાણીને શાહજાદાએ વચન આપ્યું કે “હું સાધુ સેવડાઓને સતાવીશ નહિ.” એટલે આનંદઘનજીએ શાહજાદાને કહેવરાવ્યું કે “વાશાહ વા. વેરા વસે' આ પ્રમાણે શાહજાદાને શબ્દો સંભળાવ્યા કે શાહજાદાનો ઘોડો ચાલવા લાગ્યો. શાહજાદો આવો ચમત્કાર જોઈ ખુશી થયો પછી તેણે આનંદઘનજીનાં દર્શન કર્યા, દર્શન કરીને તેણે મિત્રોને કહ્યું આનંદઘનજી તો ઓલીયા હૈ.”
(૭) - અ
એક વખત આનંદઘનજી મહારાજ મારવાડના કોઈ ગામમાં એક ગરીબ વણિકને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. એક વખત તે વણિક બહુ ચિંતાતુર ચહેરે આનંદઘનજી પાસે આવીને બેઠો. છાતી ભરાઈ જવાથી તે રડવા લાગ્યો. આનંદઘનજીએ તેને રડવાનું કારણ પૂછયું. તેણે પોતાના દુઃખની વીતક કથા કહી સંભળાવી આનંદઘનજીએ એ વણિકને કહ્યું “તારી પાસે લોઢું હોય તો લાવ' તેણે એક શેરીઓ (શેરનું કાટલું) લાવીને શ્રી આનંદઘનજીને આપ્યો. વહેલી પ્રભાતે