________________
63
અનુભવ રસ લઈ લીધું તેમાંથી પેલો યંત્ર કાઢી રાજા વાંચવા લાગ્યો પરંતુ એમાં લખ્યું હતું, “રાજા રાણી દો મિલે ઉસસે આનંદઘનજી કો કયા? આ શબ્દોથી આશ્ચર્યચક્તિ થયેલા રાજાને આનંદઘનજીની ઉચ્ચ આત્મદશાનો ખ્યાલ આવ્યો.
(૪) રાજાને પુત્રપ્રાતિજોધપુરના રાજાને પુત્ર ન હતો તેના મનમાં પોતાની રાજગાદીના વારસદાર અંગે ઘણી ચિંતા રહેતી. કર્મચારીઓ જાણતા હતા કે રાજાને પુત્રની ચિંતા રહે છે. એક દિવસ પ્રધાનજી સાથે વાતચીત કરતાં કરતાં રાજાએ પોતાના મનમાં રહેલી ચિંતા પ્રગટ કરી. પ્રધાને કહ્યું “પુત્ર થવો એ પૂર્વભવનાં કર્મ પર આધાર રાખે છે. છતાં પણ જૈન અવધૂત તરીકે પ્રસિદ્ધ એવા શ્રી આનંદઘનજી મહારાજ મહાયોગી ચમત્કારી પુરુષ છે. તેમની સેવા ભક્તિ કરવાથી લાભ થાય છે. પ્રધાનના આ કથન પર વિશ્વાસ મૂકીને રાજાએ આનંદઘનજી મહાત્માની સેવાભક્તિ કરવાનો નિશ્ચય કર્યો. સાચા દિલથી તેમણે ઘણી સેવા કરી. એમ કહેવાય છે કે આ સેવા ભક્તિના પ્રતાપે રાજાની રાણીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
(પ) આનંદઘનજીની લઘુતા:રાજાઓના માન-સન્માનથી શ્રી આનંદઘનજી કદી પણ પ્રભાવિત થતા ન હતા. તેઓ પોતાની યોગશક્તિની સ્વમુખે ક્યારેય વાત કરતા નહિ. મહાપુરુષો પોતાની પ્રશંસા સ્વમુખે કદી પણ કરે નહિ.
મેડતાનગરના રાજાએ પણ આનંદઘનજી મહારાજની સેવા ભક્તિ કરી હતી, આનંદઘનજીના પરિચયથી મેડતાના રાજાને જૈન ધર્મ પ્રત્યે રાગ થયો હતો. આનંદઘનજી પોતાની પૂજા કદી પણ ઈચ્છતા ન હતા. જૈન શાસનની સેવા કરનારાઓની તેઓ સદા પ્રશંસા કરતા હતા. ૧
આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પૃ. ૧૫ર થી ૧૫૪
|૧. આનંદઘન પદ ભાવાર્થ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ, પૃ. ૬૨