________________
અનુભવ રસ
62 સાંભળીને આનંદઘનજીને થયું કે ચેલાને કંઈક ચમત્કાર બતાવવો જોઈએ. તેમણે ઊઠીને પાસેના એક પથ્થરની ચાટ ઉપર પેશાબ કર્યો. તેથી પત્થરની ચાટ સોનાની થઈ ગઈ. એ જોઈ પેલો ચેલો આશ્ચર્યચકિત થઈ ગયો તે બોલ્યો, “અહો ! જેના પેશાબમાં સુવર્ણસિદ્ધિ છે તેને રસસિદ્ધિનું શું કામ? પોતાના પેશાબ વડે જો સુવર્ણ બનાવી શકાતું હોય તો તેમની યોગશક્તિ કેટલી વિશિષ્ટ હશે!” રાજા-રાણી દો મીલે, ઉસમેં આનંદઘન કું કયા?
(૩) શ્રી બુદ્ધિસાગરજી મહારાજે નોંધેલી એક દંતકથા આ પ્રમાણે છે. કોઈ એક વખત શ્રી આનંદઘનજી મહારાજ મારવાડમાં વિચરતાં વિચરતાં જોધપુર પાસેના ડુંગરોની ગુફાઓમાં ધ્યાન ધરતા હતા. તેઓ પાસેના ગામડાંઓમાં ગૌચરી લેવા જતા હતા. જોધપુરના રાજાને અને તેની પટરાણીને ઘણા દિવસોથી અણબનાવ હતો. રાણીએ રાજાને વશ કરવા ઘણા ઉપાયો કર્યા પણ રાજા વશ થતા નહોતા. એ અરસામાં રાણીને કોઈકે કહ્યું કે “તમે મહાત્મા આનંદઘનજીના દર્શન કરો. જો તેમની કૃપા તમારા ઉપર થાય તો તમારા સર્વ કાર્ય સિદ્ધ થાય.” રાણીના મનમાં આ વાત વસી ગઈ તે આનંદઘનજીના દર્શન કરવા ચાલી. આનંદઘનજીને જોઈને તે પ્રભાવિત થઈ. તે રોજ દર્શન કરવા જવા લાગી. એક દિવસ એકાંત જોઈ તેણે પોતાની વાત પ્રગટ કરી, તેણે કહ્યું, હે ગુરુ ભગવંત! મારા પર કૃપા કરો મને કોઇક મંત્ર આપો કે જેથી રાજાને હું મનાવી શકું, મારા ઉપર તેમનો પ્રેમ ફરી ચાલુ થાય.” પરિસ્થિતિ સમજી જઈને આનંદઘનજીએ કહ્યું, “એક કાગળનો ટુકડો લાવો.' રાણીએ કાગળનો ટુકડો આપ્યો. આનંદઘનજીએ તેમાં કોઇક મંત્ર જેવું લખ્યું. પછી તે કાગળનો ટુકડો માદળિયામાં નાખ્યો અને એ માદળિયું રાણીને આપ્યું. રાણીએ તે માદળિયું ગળામાં પહેર્યું. તે દિવસથી રાજાની પ્રીતિ રાણીના ઉપર વધવા લાગી. રાજા રાણીને વશ થઇ ગયો. એક દિવસ અન્ય રાણીઓએ રાજાને કહ્યું કે “આપની પટ્ટરાણીએ તો યંત્ર કરાવી આપને વશ કર્યા છે. આ વાત સાંભળી રાજા તપાસ કરાવવાના વિચાર પર આવ્યો. એક દિવસ રાજાએ કંઇક યુક્તિ કરી પટ્ટરાણીનું માદળિયું