________________
અનુભવ રસ
દેહોત્સર્ગઃકવિશ્રી આનંદઘનજીનો દેહોત્સર્ગ ક્યાં અને ક્યારે થયો હતો. તે વિશે વિદ્વાનોમાં ભિન્ન મત પ્રવર્તે છે.
અષ્ટપદીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનજી પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો છે. આથી આનંદઘનજી યશોવિજયજીથી ઉંમરમાં મોટા હશે એમ માનીને આચાર્ય ક્ષિતિમોહનસેન આનંદઘનજીનો જન્મ વિ.સં. ૧૬૧૫ માં દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩ર માં દર્શાવે છે પણ આ અનુમાન પ્રમાણભૂત નથી. ૧
ડો. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજીના દેહોત્સર્ગ પછી વિ. સં. ૧૭૪૫ પછી થયેલા માને છે. જે
આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે શ્રી પ્રભુદાસ પારેખ આનંદઘન ચોવીશીમાં નોંધે છે, “પ્રણામી સંપ્રદાયના સંસ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવન ચારિત્રમાં લખેલું છે કે પ્રાણલાલજી મહારાજ મેડતામાં સં. ૧૭૩૧ માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામધારી જૈન મુનિ લાભાનંદજીનો મેળાપ થયો હતો. અને તે જ વર્ષમાં તેમનો, કાળધર્મ થયો હતો. આ અગત્યની વાતો પ્રમાણભૂત લાગે છે. '
વિ. સં. ૨૦૩૧ માં પ્રગટ થયેલી “આનંધન ગ્રંથાવની' માં અગરચંદજી નાહટા લખે છે,
'प्राणानाथ संप्रदाय के 'निजानन्द चारित्र' से आनंदघनजीका स्वर्गवास संवत १७३१ में मेडतामें हुआ, यह निश्चित हो गया है!'
આ જ ગ્રંથમાં શ્રી મહતાબચંદ ખારેડ “શ્રી આનંદઘનજી કે જીવન પ્રસંગ' લેખમાં મૂળમાથી ઉદ્ધરણ આપીને લખે છે. :
'प्रणामी संप्रदाय के संस्थापक श्री प्राणलाल आनंदघनजीके १. जैन मरमी आनंदघनजीका काव्य क्षितिमोहनसेन, 'वीणा' पृ। ५ २. अपभ्रंश और हिन्दी मैं जैन रहस्यवाद डो. वासुदेवसिंह
पृ १०४ से १०६ ૩. આનંદઘન ચોવીશી, શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પૃ. : ૧૯ १ आनंदघन ग्रंथावली संपादक - महताबचंद खारैड पृ। : ३१ प्रासंगिक वक्तव्य श्री अगरचंद नाहटा।