SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ 52 પં. શ્રી સત્યવિજયજીએ ક્રિયા ઉદ્ધાર કર્યો હતો. શ્રી આત્મારામજી મહારાજ એમના “જૈન તત્ત્વાદર્શ” પુસ્તકમાં લખે છે કે ___ 'श्री सत्यविजयजी गणिजी क्रियाका उद्धार करके आनंदघनजी के साथ बहुत वर्ष तक वनवास में रहे और बहुत तपस्या के साथ योगाभ्यासादि भी किया। “પં. સત્યવિજયજીના રાસમાં તેમના ક્રિયા ઉદ્ધારની વાતનું ચિત્ર નજરે પડે છે.” ૨ જુઓઃ શ્રી ગુરુચરણ નમી કરી, કર જોડી તે વારો રે અનુમતિ જો મુજ દિયો, તો કરું ક્રિયા ઉદ્ધારો રે, કાલ પ્રમાણે ખપ કરુ, દોષી હલકર દલે વારે. તપ કરુ આલસ મૂકીને, માનવ ભવનું ફળ લેવા રે ગુણવંત ગુરુ ઈણિ પરે કહે, યોગ્ય જાણીને સુવિચારો રે, જિમ સુખ થાય તિમ કરો, નિજ સફળ અવતારો રે ધર્મ મારગ દિપાવવા, પાંગરીઆ મુનિ એકાકી રે, વિચરે ભાડની પરે, શુદ્ધ સમયસું દિલ છાકી રે, સહ પરિસહુ આકરા, શોષે નિજ કોમળ કાયા રે, ક્ષમતા રમતા આદરી, મેલી સહુ મમતા રે. જ્યાં ઉદ્ધાર કરવા સત્યવિજયજીએ પોતાના ગુરુ વિજયસિંહસૂરિની આજ્ઞા મેળવી હતી. ક્રિયા ઉદ્ધારની પ્રેરણા આપનાર ઉપાધ્યાય યશોવિજયજી હતા. આ અંગે મોહનલાલ દલીચંદ નોંધે છે, પં. સત્યવિજયજી ગણિ સંવેગી, સંયમી, ધ્યાની અને તપસ્વી હતા. તપાગચ્છમાં ક્રિયો ઉદ્ધાર કરીને સંવેગી માર્ગ પ્રવર્તાવવા તેઓ પ્રયત્નશીલ હતા, આત્મરંગી પં. સત્યવિજયજી ગણિએ ગચ્છનાયક ભટ્ટારક બનીને શાસનસેવા કરવાને બદલે ધ્યાન અને ત્યાગમાં મસ્ત રહેવાનું સ્વીકાર્યું. આનંદઘનજીએ સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણા કરી, જ્યારે પં. સત્યવિજય ગણિએ તપ અને ત્યાગના १. जैन तत्त्वादर्श [ उत्तरार्ध], श्री आत्मारामजी महाराज पृ. ५८१ ૧. જૈન ઐતિહાસિક રાસમાળા, શ્રી સત્યવિજયજી પૃ.૪૧
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy