SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 6િ1 અનુભવ રસ યાત્રા નિમિત્તે એકાદ વખત વિહાર કરીને ગુજરાતમાં આવ્યા હોય અને પાલનપુરમાં બે અથવા તેથી વધારે ચાર્તુમાસ કર્યા હોય. શ્રી અગરચંદજી નાહટાના મત પ્રમાણે આનંદઘનજીનો વિહાર બહુ લાંબો પ્રતીત થતો નથી. અંતિમ વર્ષમાં તેઓ નિશ્ચિત રીતે મેડતામાં રહ્યા હતા. શ્રી અગરચંદજી નાહટા મેડતાને આનંદઘનજીની જન્મભૂમિ માને છે. ૨ “ડો. કુમારપાળ દેસાઇ અગરચંદ નાહટાના મતની સમીક્ષા કરતાં કહે છે, “જો કે નિશ્ચિત પ્રમાણોને અભાવે આ બન્ને વિગતોનો સંપૂર્ણ સ્વીકાર કરવો મુશ્કેલ છે. પોતાની યોગદશાની મસ્તીમાં ડૂબેલા આ અધ્યાત્મયોગીની માહિતી મળતી જ નથી ત્યાં એમનો વિહાર લાંબો કે ટૂંકી તે કઈ રીતે કહી શકાય?' તેમ છતાં ડો. કુમારપાળ દેસાઇ આનંદઘનજીનો વિહાર ગુજરાત, વજપ્રદેશ અને રાજસ્થાનમાં થયો હોવાનું માને છે. આનંદઘનજી આબુની ગુફાઓમાં રહ્યા હોવાના કારણે તેમની વિહારભૂમિ ગુજરાત તથા રાજસ્થાન હોવાનો વધારે સંભવ છે તેમના જીવનની ઘણી કિંવદંતીઓ મેડતા સાથે સંકળાયેલી છે. તેથી રાજસ્થાન પણ તેઓની વિહારભૂમિ હોવી ઘટે છે. સત્યવિજયજી અને આનંદઘનજી:સત્તરમા સૈકામાં જૈનોમાં ઘણા વિદ્વાનો થયા હતા. કહેવાય છે કે આ સૈકામાં ફકત તપગચ્છમાં જ બાવન પંડિત થયા હતા. આપણાં ચરિત્ર નાયક અને તેઓશ્રીના વડીલબંધુ પણ એ જ અરસામાં તથા બાવન પંડિતોમાં નામ પામેલા હતા, પરંતુ આ કાળમાં ધર્મમાં તથા ધર્મ માટે થતી ક્રિયાઓમાં ઘણો સડો પ્રવેશી ચૂક્યો હતો. સાધુઓમાં શિથિલતા આવી ગઈ હતી. તેમજ કુગુરુઓ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા. આવા ધર્મને નામે ચાલતા ધતીંગને તથા ક્રિયાશિથિલતાના દોષને ટાળવા ૨. યોજીરાન માનંદનની સંવંધી છ જ્ઞાતવ્ય વાતે પૃ. ૫ पत्रिका जैन १८ अकटूबर १९६६ ૩. આનંદઘન જીવન અને કવન ડો. કુમારપાળ દેસાઇ પૃ. ૩૫
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy