________________
અનુભવ રસ
હતી એમ માનવાને ઘણાં કારણો મળી આવે છે. તેઓનો ઉપાધ્યાયજી યશોવિજયજી તથા પં. સત્યવિજયજી સાથે ઘણો સંબંધ હતો. તે સમયમાં તપગચ્છનું ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પ્રભુત્વ જોતાં આનંદઘનજી જેવા ખપી જીવ તેનો આશ્રય લે તેમ ધારવું યોગ્ય છે.' ૧
૧
50
આનંદઘનજીની વિહા૨ભૂમિ:
આનંદઘનજીએ કયા-કયા પ્રદેશમાં વિહાર કર્યો હશે તે જાણવા માટે નક્કર પુરાવા મળતા નથી. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા તેમની જન્મભૂમિ નક્કી કરવા માટે નીચેના મુદ્દાનો આધાર લે છેઃ (૧) મારવાડમાં તેઓશ્રી સંબંધી દંતકથાઓ.
ભાષા.
(૨) મેડતામાં તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતુ ખંડિયેર. (૩) પદોની કવચિત શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત મિશ્ર હિન્દી
(૪) સ્તવનોની ભાષામાં અનેક મારવાડી હિન્દુસ્તાની શબ્દોનો છૂટથી ઉપયોગ.
(૫) પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રૌઢદર્શન અને મજબૂત રીતે નિરૂપણ.
(૬) સ્તવનોમાં મિશ્રપ્રયોગ અને ખાસ વાક્યપ્રયોગો.
(૭) વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિન્દ તરફ થતું સ્તવન ભાષાનું મંડાણ.
(૮) ઉખાણા તથા ઘરગથ્થુ શબ્દોનો સ્તવનોમાં અલ્પ ઉપયોગ અને તેનું જ પદોમાં થયેલું સવિશેષ પ્રાગટય.
(૯) સ્તવનોની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગ પ્રત્યયો.’૧ આ અનુમાનોને આધારે શ્રી મોતીચંદ કાપડિયા તેમનો જન્મ બુંદેલખંડમાં થયેલો ગણે છે. તે ઉપરાંત તેઓ માને છે કે આનંદઘનજી ૧. આનંદઘનજીનાં પદો ભા. ૧, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પૃ.: ૩૧
૧. આનંદઘનજીનાં પદો ભા. ૧, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પૃ. :૬૩