________________
અનુભવ રસ
28
માતા-પિતા, જન્મનામ, દીક્ષાનામ:
શ્રી આનંદઘનજીનાં માતા-પિતા વિષે આજ સુધી કોઈ આધારભૂત માહિતી મળી નથી, પણ ડો. કુમારપાળ દેસાઈ અનુમાન કરતાં લખે છે,
જો સત્યવિજયજી આનંદઘનજીના મોટા ભાઈ હોય તો જે માતા-પિતા સત્યવિજયજીનાં તે જ માતા-પિતા કવિશ્રીનાં પણ હોવાં ઘટે. સત્યવિજયજી
ઓશવાલ શાહ વીરચંદ અને તેની પત્ની વીરમદેની કૂખે જન્મ્યા હતા.” ૧ જો સત્યવિજયજી આનંદઘનજીના સગાભાઈ હોય તો આનંદઘનજીનાં માતા-પિતા પણ એને જ ગણી શકાય.
જેમ સત્યવિજયજીનું ગૃહજીવનમાં નામ શિવરાજ હતું. તેમ આનંદઘનજીનું દીક્ષા નામ લાભાનંદ હતું અને “આનંદઘન એમનું ઉપનામ હતું. અધ્યાત્મયોગી, એકલવિહારી આનંદઘનજીએ પોતાની ઓળખ એક પદમાં નીચે પ્રમાણે અનોખી રીતે આપી છે.
મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન મેરે. ગાત આનંદઘન, જાત આનંદઘન...મેરે. રાજ આનંદઘન, કામ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદઘન મેરે. આભ આનંદઘન, ગાભ આનંદઘન,
નામ આનંદઘન, લાભ આનંદઘન...મેરે. એમની ચોવીશી પર સબક લખનાર શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસ સ્તવનોના સ્તબકને અંતે લખે છે, “લાભાનંદ કૃત તવન એતલા રર દિસઇ છઇ. યદ્યપિ હસ્યું તોહ આપણ હસ્તે નથી આવ્યા અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છઈ. એહવું વિંગ (વ્યંગ્ય) સ્વરૂપ મૂકયાથી જણાઇ છઇ તે જાણવું.” “શ્રીમદ્ દેવચંદ્રજી વિચાર રત્નસાર પુસ્તકમાં પ્રવચન અંજન સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન' આ અવતરણ ટાંકીને એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે એમ લખ્યું છે. જેમ શ્રી કપૂરવિજયજીએ પોતાના પદોને “ચિદાનંદ બહોંતેરી' એવું નામ આપ્યું
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઈ પૃ. ૨૦