________________
37
અનુભવ રસ
તેમણે થિસિસની ઝેરોક્ષ કરાવી આપવામાં પણ સારી સહાય કરી છે. મારા આ શોધ-પ્રબંધ નિમિત્તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈનો સહકા૨ને સદ્ભાવ સાંપડયો છે તે સર્વેની હું કૃતજ્ઞભાવે અનુમોદના કરું છું. છદ્મસ્થ અવસ્થાના યોગે આ શોધ નિબંધમાં કોઈ પણ સ્થાને ક્ષતિ રહી ગઈ હોય તથા કોઈ સ્થાને વિષયની કે વાક્યની પુનરુક્તિ થઈ હોય તો તે બદલ ક્ષમા યાચું છું. લેખન કાર્યમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થયું હોય તો અનંત સિદ્ધો તથા ગુરુ ભગવંતની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં કરું છું.
કવિશ્રી આનંદઘનની વાણી ઉપર ચિંતન તથા સ્વાધ્યાય કરવાનો જે અમૂલ્ય અવસર મને મલ્યો હતો. તે હવે મળવો મુશ્કેલ છે માટે જ કવિ કહે છે,
‘બેઠેર બેઠેર નહિ આવે, અવસર બેઠેર બેઠેર નહિ આવે.’
સાધ્વી જશુબાઈ