________________
36
અનુભવ રસ ભગિનીઓની સેવાથી મારા કાર્યને ઘણો વેગ મલ્યો મને સમયે સમયે પૂ. તરુબાઈસ્વામી માર્ગદર્શન આપતાં રહ્યાં છે તથા દરેક પ્રકારની અનુકૂળતા કરી આપતાં રહ્યા છે. તદુપરાંત મારાથી નાનાં સાધ્વીરત્ના શ્રી વસુલાઈ સ્વામી, શ્રી સુમિત્રાબાઈ, શ્રી અરુણાબાઈ, શ્રી જયવતીબાઈ, શ્રી મીરાંબાઈ, શ્રી શ્વેતાબાઈ, શ્રી મીતલબાઈ, શ્રી શ્રેયાબાઈ, શ્રી દત્તાબાઈ તથા શ્રુતિબાઈ વગેરેનો પણ મને સવિશેષ સહયોગ મળતો રહ્યો છે. જો તેમનો સાથ તથા સહકાર ન મળ્યો હોત તો આ વિશાળ કાર્ય પાર પાડવું મારે માટે અતિ મુશ્કેલ હતું. શ્રી અરુણાબાઈ, શ્રી મીરાંબાઈ તથા શ્રી શ્રુતિબાઈ વગેરેએ મારે માટે જરૂરી એવા જુદી-જુદી લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવી મને મોકલાવતાં રહ્યાં હતાં તથા અભ્યાસમાં અધિક સમય મળે તેની કાળજી શ્રી અરુણાબાઈ સવિશેષ રાખતા હતા.'
આ બધાંમાં સાધ્વીરત્ના શ્રી શ્રેયાબાઈએ મને આ કાર્યમાં ઘણો સાથ અને સહકાર આપ્યો છે. મારા જમણા હાથની માફક તેમણે કામ કર્યું છે. પદોની નકલ કરવાનું તથા આખા મહાનિબંધની છેવટની નકલ તૈયાર કરવાનું તેમણે ભૂખ-તરસ, ઊંઘ કે આરામની પરવા કર્યા વિના સતત દોઢ વરસથી મારી સાથે રહીને કામ કર્યું છે અને મારા આ કાર્યને ઘણી સારી રીતે પાર પાડયું છે. તેમની શ્રુત ભક્તિ ભૂલી શકાય નહીં તેવી છે.
મારા આ સંશોધનમાં શ્રી વિ. સ્થા. જૈન સંઘ કાંદાવાડી, શ્રી વ. સ્થા. જૈન વાલકેશ્વર સંઘ, શ્રી વ. સ્થા. જૈન ઘાટકોપર ગારોડિયાનગર સંઘે પણ જે સુંદર આર્થિક સહયોગ આપ્યો છે તેની અનુમોદના કરું છું.
મારા આ શોધપ્રબંધ નિમિત્તે એક અથવા અન્ય પ્રકારનો જેમના તરફથી ઉમળકાભર્યો સહયોગ મળ્યો છે. એવા ડો. દિનેશભાઈ ભટ્ટ, શ્રી ગુલાબભાઈ દેઢિયા, શ્રી હસમુખભાઈ અજમેર, શ્રી ચંપકભાઈ ચત્રભુજ વેકરીવાલા, શ્રી ભોગીભાઈ મોદી, શ્રીમતી ચારુબહેન કિશોરભાઈ મહેતા, શ્રીમતી અનિલાબહેન કાન્તિભાઈ કોઠારી, કુ. બીના દોમડિયા કુ. અમિષા શાહ વગેરે માટે હું હર્ષ વ્યક્ત કરું છું.
મને કહેતાં સવિશેષ આનંદ થાય છે કે મારા આ સંશોધન કાર્યમાં સલ્તાની એવા શ્રી રાકેશભાઈનું પણ માર્ગદર્શન મળ્યું છે. તદુપરાંત