________________
32
અનુભવ રસ ककककककक्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क
પ્રાસ્તાવિક
– પૂ. ડો. જશુબાઈ મહાસતીજી
भवबीजांकुरजनना, रागादयः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै।। ભવરૂપી બીજનાં અંકુર છે એવા રાગ-દ્વેષાદિનો જેમણે ક્ષય કર્યો છે એવા બ્રહ્મા હો, વિષ્ણુ હો અથવા હરિ કે જિનેશ્વર હો, તેમને હું નમસ્કાર કરું છું.
સાધકની સાધનાનું લક્ષ્યબિન્દુ છે પરમપદની પ્રાપ્તિ એ પરમપદ સાથે સદ્ગ સંયોગ કરાવે છે. સદ્ગના પ્રેરણા તથા આશિષ સિવાય સાધક કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. સદ્ગર એટલે મારે માટે ગુરુમાતા. જેના હૃદયમાં મા જેવું વાત્સલ્ય હોય તેવાં ગુણી તે ગુરુમાતા.
" જેની આંખમાંથી નર્યો નેહ નીતરતો રહે છે, વાણીમાં વાત્સલ્ય ધારા વહે છે, તેમજ જેનું દિલ દરિયાવ છે એવા મારાં ગુરુણી (બાપજી) અધ્યાત્મયોગિની બા. બ્ર. પૂ. લલિતાબાઈ સ્વામી સાથે અમે ૧૯૭૪માં પૂર્વ ભારતમાંથી પાછાં ફરી મુંબઈમાં પ્રવેશતાં હતાં ત્યારે એમના મુખમાંથી અમીઝરતી વાત્સલ્યભરી, મૃદુવાણી નીકળી. એમણે મને કહ્યું, “જશી! સાધુ જીવનમાં થોડા વ્યવહારજ્ઞાનની પણ આવશ્યકતા રહે છે. મારી ઈચ્છા છે કે તું એસ. એસ. સી. ની પરીક્ષા પણ આપ અને એમાં પણ આગળ વધ.' ન ખબર બાપજીએ મારામાં શું જોયું? મારી દીક્ષા પૂર્વે મેં