________________
-
૨૮૨
અનુભવ રસ મારા ચેતનજી જે થોડા ઘણા જાગૃત થયા છે તેનો મેળાપ કરાવી આપવામાં સમર્થ હોય તો તું જ એક છે, મને એવો વિશ્વાસ છે.
આનંદઘનજીનું આ પદ ગહનગંભીર છે, તે ચેતનની ઉક્તિ તરીકે તથા ચેતનાની ઉક્તિ તરીકે એમ ઉભય રીતે ઘટાડી શકાય એમ છે. મહાકવિઓની એ જ ખૂબી હોય છે. એમની પંક્તિઓમાંથી એક કરતાં વધુ ગહન-ગંભીર યોગ્ય અર્થ નીકળી શકે છે. આ પદ કવિના અસાધારણ શબ્દપ્રભુત્વની પ્રતીતિ કરાવે છે.