________________
૨૭૯
અનુભવ રસ પણ સાચો આવે. અનુભવ વિનાની ગણતરી ખોટી જ ઠરે. અનુભવે ભૂલ સમજાય ને પ્રશ્ચાતાપ પણ થાય. પછી બીજીવાર તેવી ભૂલ ન થાય તો ચેતનનું કામ થઈ જાય. આ રીતે ચેતનાની વાતો સાંભળી તે પછી તેને સ્વ સ્વરૂપનું ભાન થયું એટલે જ ચેતન હવે માયામમતાને ઠગારી રહે છે ને તેનો તિરસ્કાર કરી ભગાડે છે. બીજી બાજુ ચેતનાને તે કહે છે કે તમે મારી પાસે આવો. હું હવે જાગૃત થઈ ગયો છું. આજ સુધી હું માયામમતામાં આસક્ત થઇ ફરતો હતો પણ હવે સમજાયું છે કે તે સંબધો દગો દેનારા હતા. આત્મ વિચારણા થતાં જ્ઞાનચક્ષુ ખુલે છે. હવે બીજી કડીમાં કવિ શું વિચારે છે તે જોઈએ. भ्रात न मात न तात न गात न, जात न वात न लागत गोरी मेरे सब दिन दरसन फरसन, तान सुधारस पान पगोरी... ठगोरी २॥
ચેતન માયા-મમતાને કહે છે કે હે માયાવતી નારીઓ? આજ સુધી તમારા સંગમાં રહીને મા-બાપ, ભાઈ-બહેન, પત્ની-પતિ, પુત્ર, કુટુંબીજનો જ્ઞાતિજનોમાં જ હું આસકત હતો. તેનું સુખ તે મારું માની હર્ષ ઘેલો થતો હતો પણ હવે જ્ઞાનદષ્ટિ મળતા સમજાયું કે આ બધું ખોટું હતું. જગતમાં કોઈ કોઈનું નથી. આખો સંસાર માયાની જાળ છે. જગતના તમામ પદાર્થો અસ્થિર તથા અશાશ્વત છે. તે કોઈ ચિરસ્થાયી નથી. જ્યાં સંયોગવિયોગના ખેલ થતાં હોય, જ્યાં દુઃખની પ્રચૂર માત્રા હોય એવા આ સંસારને મારો કેમ કહી શકાય? શ્રી સર્વજ્ઞ પરમાત્મા કહે છે,
“ધુવે અસારસંમિ, સંસારભિ ટુર્વ પ૩રાણ”
અધુવ અને અશાશ્વત સંસારમાં દુઃખ પ્રચુરમાત્રામાં છે, એવો આ સંસાર મારાથી તો પર છે. તેના રહેવા પર મને સુખનું સ્વપ્ન પણ નહીં આવે. આવું જાણ્યા પછી ખોટાઓની તો વાત સાંભળવી ગમતી નથી. આ રીતે ચેતનને હવે મોહ-માયાને કારણે રાગના બંધનોથી પ્રાપ્ત થયેલા મા-બાપ તથા જ્ઞાતિજનોમાં રસ નથી. મારી સાચી માતા જ્ઞાનદૈષ્ટિ છે, કારણકે જે દુઃખમાંથી બચાવે તે માતા. એમ જ્ઞાનદૃષ્ટિએ મને દુઃખ મુક્ત કર્યો. બસ હવે હું મારા સ્વભાવમાં રહું તેની સ્પર્શના કરું, સમ્યગ્દર્શની માટે શાસ્ત્ર વચન છે કે “સરહદે વરૂપે” જેને સર્વજ્ઞપ્રણિત વાણીમાં વિશ્વાસ બેસી ગયો છે તેને માટે સદામિ, પતિયામિ, રોયેમિ, ફાસેમિ,