SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૭૮ Iક પદ-૪૫ “સોરી મોરી તોરી ગોરી" શ્રી આનંદઘનજી મહારાજે “ટોડીરાગ' માં લખેલા આ પદમાં ચેતનમાં જાગૃતિ આવતાં તેની પરમપદ માટેની લગનીનું વર્ણન કર્યું છે. " ચેતનને આજ સુધીમાં જે સાંસારિક વિષયોમાં આનંદ આવતો હતો તે હવે દુઃખરૂપ લાગે છે કારણ કે હવે તેને સ્વ સ્વરૂપનો અનુભવ થયો છે હવે તેની આંખો ખુલી ગઈ છે. એટલા માટે તે હવે માયા – મમતાને છોડવા દેઢ સંકલ્પ કરે છે. કવિ લખે છે, ठगोरी भगोरी लगोरी जगोरी .. મમતા માયા સાતમ મતિ, અનુમવ મેરી ગૌર વોરી. સોરી... ? 'ચેતન, માયા-મમતાને કહે છે કે હે ઠગોરીઓ! તમે ભાગો. હવે મને મારી શક્તિનું ભાન થયું છે. જેમ સિંહનું બચ્ચું ઘેટાનાં ટોળામાં હતું ત્યારે તેને પોતાની જાતનું જ્ઞાન કે ભાન ન હતું પણ જ્યારે તેને સામેના પહાડ પર બીજા સિંહની ગર્જના સાંભળી તથા તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે તેને સમજાયું કે મારું અને સામેના પ્રાણીનું શરીર સરખું છે. તે જો આટલો મોટો અવાજ કરી શકે તો હું કેમ ન કરી શકું? પછી તો પોતાની સર્વશક્તિ એકઠી કરી તેણે ગર્જના કરી તો સિંહ – બચ્ચાની આવી ગર્જના સાંભળી બધા જ ઘેટાં તથા ગોવાળ જીવ લઈને ભાગ્યા. . " ચેતનની પણ આવી જ દશા છે. તેણે આજ સુધી અવળી ગણતરી કરી હતી તેથી તે છેતરાઈ ગયો. તેણે જે માન્યું હતું તેમાં મોટો ભ્રમ હતો. આમ ખોટી ગણતરીને સાચી ખતવી નાખવી તેનાં જેવી બીજી કઇ મોટી ભૂલ હોઈ શકે? જ્યાં ગણતરી જ ખોટી હોય પછી તેનો જવાબ ખોટો જ આવે એમાં નવાઈ શી? પણ હવે ચેતનને તેની ભૂલ સમજાય છે. - ચેતનની પર દૃષ્ટિ ખસી ગઈ છે. સાચી દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. અનુભવદેષ્ટિ એ જ સાચી દૃષ્ટિ કદાચ તેને આપણે જ્ઞાનદેષ્ટિ કહીએ તો પણ ચાલે. આ દૃષ્ટિ મળ્યા પછી જે ગણતરી થાય તે સાચી હોય ને તાળો
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy