________________
૨૭૫
અનુભવ ૨સ હે ચેતન દેવ ! આપનું સ્વરૂપ શબ્દથી પરે છે. તેને અમારા જેવા સામાન્ય લોકો શબ્દજાળમાં કે વાચાના માળખામાં કેમ બાંધી શકે. માટે જ કહું છું કે તું શાસ્ત્રો વડે પ્રાપ્ય નથી. કહ્યું છે,
“શબ્દમાં સમાય નહીં એવો તું મહાન,
કેમ કરી ગાવું પ્રભુ તારા ગુણગાન.” છતાં પણ શાસ્ત્રનું અધ્યયન, ચિંતન કે મનન કરવાથી અનુભવ દૃષ્ટિ ખુલી શકે છે અને દૃષ્ટિ ખુલતાં તારા સત્ય સ્વરૂપનું જ્ઞાન અને ભાન થાય છે. આગમો તારા સ્વરૂપનો સંકેત કરશે પણ આગમો વાંચવા માત્રથી અનુભવ નહીં થાય. આ રીતે મેળવેલું આગમજ્ઞાન ભારરૂપ થશે. નવપૂર્વનાં ભણવાવાળા (જ્ઞાનવાળા) સંસારથી પર થઈ શક્યા નથી. કારણકે સ્વરૂપાનુભવ થયો નથી અને અનુભવ જ્ઞાન વિના તારા સ્વરૂપનો નિશ્ચય થઈ શકતો નથી. માટે તારા સ્વરૂપમાં જ છું તેમાં જ લયલીન બની જાઉં તેથી જ મને આનંદની પ્રાપ્તિ થશે. પણ હવે તારી પાસે આવવા શું કરવું એ જ વિચારવાનું છે.
ચેતના આજ વાતને આગળ વધારતાં ત્રીજી કડીમાં કહે છે, मेरे तो तुं राजी चाहिए, औरके बोलमें लाख सहुंरी. માનંવધન કમુ વે મિના વારે, નદિ તો બંને તરંગ વદુરા.તેરી...રૂા
ચેતના ચેતનને કહે છે કે હે નાથ ! આ જગતમાં મારે બીજા કોઈનું કામ નથી. એક તું રાજી એટલે મારે મન આખું જગત રાજી છે. ભારતની કોઈપણ સ્ત્રી એમ જ ઈચ્છતી હોય છે કે તેનો પતિ રાજી રહે. પછી ભલે તેને પતિ ઘણું દુઃખ આપતો હોય, પણ પતિની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા છે. દુનિયા ભલે મને પતિ ઘેલી કહે તેની મને કોઈ પરવા નથી. મારાથી એ બધું સહન થશે પણ આગમ, શાસ્ત્રો તથા ગ્રંથોમાં પ્રસિદ્ધ એવા મારા નાથને હું ક્યારે મેળવીશ તથા તેને કેમ રાજી કરવા એ જ વિચારમાં હું ડૂબી રહું છું. શ્રી બુદ્ધિસાગર મહારાજ સાહેબ કહે છે કે હે આત્મન્ ! તું સદાકાળ મારા ઉપર રાજી હોય તો પછી કરોડો દુશ્મનોનું પણ કાંઈ ચાલવાનું નથી. કર્મની પ્રકૃતિઓરૂપ શત્રુઓ પણ અંતે પરાજય પામીને તારી પૂંઠ છોડી દેશે.
જગતના લોકો જ્ઞાનીના વર્તનને, ગાંડા માણસના વર્તનની જેમ