________________
અનુભવ રસ
૨gs
પદ-૪૩
“મેરી તું મેરી તું વાદે કરી? કેરી” અખંડના આરાધક, પૂર્ણતાની પ્રતિમા સમા શ્રી આનંદઘનજી મહારાજની સ્વાનુભૂતિભરી વાણી સાંભળતાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. આ પદનું ચિંતન કરનાર અંતરના ઊંડાણમાં ઊતરી જાય તો તે દેહી મટી વિદેહી બનવાની ક્ષમતા ધરાવે. ચેતને મિથ્યાત્વનાં મૂળ ઉખેડી રાગષને મારી ભગાડવા પુરુષાર્થ કર્યો છે. આટલું થવા છતાં સુમતિના મનમાં તો ભય જ છે કે માયા-મમતા રખેને પાછો ફસાવે. मेरी तुं मेरी तुं काहे डरेरी ? मेरी कहे चेतन समता सुनी आखर, और दोढ दीन जुढी लरेरी...मेरी...।।३।।
ચેતનજી છેવટે ચેત્યા ખરા. મિથ્યાત્વને જડમૂળથી ઉખેડી રાગદ્વેષનો હવે સંગ છોડી દેવાનો ચેતને નિર્ણય કર્યો. આજ સુધી તો ચેતને ચેતના સામે જોયું જ નહોતું. તેને બદલે ચેતન હવે કહે છે કે હે ચેતના! આજ સુધી તે જે જે સંદેશા મોકલ્યા છે તે બધા મને મળી ગયા છે. હું બધું સમજુ છું. તારું કહેલું મને યાદ છે. હવે તારે ડરવાનું કોઈ કારણ નથી. તું જ મારો શ્વાસ અને પ્રાણ છો. તું જ મારી સાચી પ્રિયા છો આ સ્થિતિમાં પણ તે તારી ખાનદાની છોડી નથી. તું જાણે છે કે મારામાં કે તારામાં કોઈ ભેદ નથી. શું તને હજુ પણ માયા-મમતાની બીક છે? હવે તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. હું તને દિલથી ચાહું છું અને વિશ્વાસપૂર્વક કહું છું કે તું જ મારી છે! માયામમતા અત્યારે ભલે તારી શોકય જેવી લાગતી હોય પણ હવે તો તે દોઢ દિવસની મહેમાન છે તેને અહીંથી જવું જ પડશે. તેને જવું ગમશે નહીં માટે જતાં પહેલા થોડો ચડભડાટ કે તડફડ કરશે. મને પ્રલોભન આપી ખેંચવા પુરુષાર્થ કરશે. તે રડશે. માથા પછાડશે. આજંદ કરશે છતાં પણ હું તને કહું છું કે બધું થવા છતાં હું તારા મહેલમાં હંમેશ માટે આવવાનો છે. આ પદમાં દોઢ દિવસની મુદત આપવામાં આવી છે તે વ્યાવહારિક ભાષા છે. તે લક્ષણાથી સમજવાની છે. ભવ્યજીવની ગતિ શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ વહી રહી છે છતાં પણ અનાદિના