________________
૨૬૫
અનુભવ રસ પરમપરિણામિક ભાવ જાગે છે.
કવિ આનંદઘનજીનું આ પદ અત્યંત લોકપ્રિય છે. એમાં અમરત્વ, અજરત્વ પ્રાપ્ત કરવાનો, મોક્ષગતિ પ્રાપ્ત કરવાનો, જન્મ-મરણના ચક્રમાંથી નીકળી જવાનો દઢ નિર્ધાર છે. કવિની વાણી એવી બળવાળી છે કે આ પદ સાંભળનારનો પણ આત્મવિશ્વાસ વધી જાય છે. એમાં ઉલ્લાસ છે. મિથ્યાત્વત્યાગની પ્રતિજ્ઞા છે. ભૂતકાળની ભૂલો ન કરવાનો સંકલ્પ છે અને મોક્ષ પ્રાપ્તિ માટેની તમન્ના છે માટે જ મુમુક્ષુ જીવના હૃદયમાં વસી જાય એવું આ ગીત છે.