SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૫૮ - પદ-૪૨ • “વ રૂમ અમર ભયે ન મરે” સમ્મસાધનામાર્ગના સોદાગર, આત્મધર્મના ઉજાગર શ્રી આનંદઘનજી મહારાજે અધ્યાત્મતત્ત્વરસ વહેવડાવી સ્વપર ઉપકાર કર્યો છે. ચેતના તથા ચેતનના અર્થ ગંભીર રહસ્યોને લાલિત્યભરી ભાષામાં વ્યક્ત કરી મુમુક્ષુ આત્માને માટે ભાથું પૂરું પાડયું છે. ' “સારંગ અથવા આશાવરી રાગમાં લખાયેલ આ પદમાં ચેતનને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે. સ્વશક્તિનો ખ્યાલ આવતા તે સ્વયં નિર્ભય બની કહે છે, अब हम अमर भये न मरेंगे... अब યા છારા મિથ્યાત્વ વીયો તન, વર્ષ ર વેદ ઘો?... શા ચેતન કહે છે કે સમજણના અભાવે મેં આ સંસારમાં અનેકવાર જન્મમરણ કર્યા. નિગોદમાં રહી એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો છત્રીસ વાર જન્મમરણ કર્યા અને ત્યાર પછી ચાર ગતિમાં રખડયો પણ મારા જન્મ-મરણનો હજુ સુધી અંત ના આવ્યો. નવું શરીર ધારણ કરું ત્યારે આનંદ પામું અને છોડવાનો સમય આવે ત્યારે દુઃખ થાય. શરીરને ટકાવવા મેં તો કેટકેટલા ઉપાયો કર્યા. અરે! શરીર છોડવું પડશે? આટલા વિચાર માત્રથી કંપારી છૂટી જાય છે. પણ હવે હું નિર્ભય થઈ ગયો છું કારણ કે હવે મને સમજાયું છે કે જન્મમરણનું કારણ શું છે? “મૂળ નાશે વૃક્ષ નાશ' તેમ અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. તેનો ખ્યાલ આવ્યો એટલે “કારણ નાશે કાર્ય નાશ' એમ જાણીને મિથ્યાત્વને મેં તજી દીધું છે. આજ સુધી પૌગલિક ભાવને હું મારો માની તેમાં જ રચ્યોપચ્યો રહેતો હતો પણ મિથ્યાત્વ જતાં પૌદ્ગલિક સુખ એ તો ધુંવાડાના બાચકા જેવું લાગે છે અને આત્મચિંતનથી હવે મને મૃત્યુનો ભય પણ રહ્યો નથી. કારણ આ શરીરને આજ સુધી હું મારું માનતો હતો પણ હવે સમજાયું છે કે તે પુગલનો પિંડ છે. જડ સ્વભાવી છે. તેથી તે પરાયું છે. આ શરીરના મોહને કારણે હું સુખી છું, દુઃખી છું, હું મરી રહ્યો છું તેવું લાગતું હતું પણ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy