________________
૨૫૯
અનુભવ રસ હવે સમજાયું છે કે આ શરીરથી હું જુદો છું હું તો અસંખ્યાતપ્રદેશી આત્મા છે. દ્રવ્યથી તો હું નિત્ય છું. મારો એક પણ પ્રદેશ ઓછો થતો નથી તો વૃદ્ધિ પણ પામતો નથી. હું અનંતકાળથી જેવો છું તેવો જ છું અને અનંતકાળ સુધી તેવો જ રહેવાનો છું. મરણ દેહનું થાય છે મારું નહીં. કર્મને કારણે એક દેહ છોડી નવા દેહુને ધારણ કરવો પડે છે. પણ મારો કદી પણ નાશ થતો નથી. આવી અલૌકિકશક્તિ ધરાવતા મારા આત્માનો કોઈપણ સ્થિતિમાં ક્યારેય પણ નાશ થતો નથી. હું મારી રહ્યો છું એવું લાગે છે એ તો એક ભ્રાંતિ છે. હવે એ ભ્રાંતિ ભાંગી ગઈ છે. મારો આત્મા “સે ન સદ્ધ, ને વે, ન ધે, ન રસે, ન પાસે, રૂત્વેવ તિવેનિ' હું શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સ્વરૂપ નથી. હું અરૂપી, નિત્ય છું. આત્મા માર્યો મરતો નથી. પાણીમાં ડૂબતો નથી, અગ્નિમાં બળતો નથી. વાયુથી વિંજાતો નથી, આપણી નજરે આવતો નથી તેવો અરૂપી અવિનાશી આત્મા છે. અહીં જન્મ-મરણનું કારણ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. કવિ કહે છે કે ચેતનને તે કારણનો નાશ કર્યો છે પછી દેહ ધારણ શા માટે કરે
કવિના આ વચનનો પારંપારિક અર્થ લેવાનો છે. કારણકે મિથ્યાત્વના નાશથી જન્મમરણનો નાશ થઈ જતો નથી પણ જન્મ-મરણથી થતાં દુઃખનાં નાશ થાય છે. જન્મ-મરણનું કારણ કષાય છે. કષાયભાવ સંપૂર્ણ નાશ પામતાં જન્મમરણનો અંત આવે છે. જન્મમરણનું મૂળ મિથ્યાત્વ હોવા છતાં તેનાં સહાયક કારણો બીજા પણ ઊભાં જ છે. જેમ કુંભાર દંડ વડે ચાકડો ચલાવે છે પણ દંડ કાઢી નાખ્યા પછી પણ ચાકડો તરત જ ફરતો બંધ પડી જતો નથી પણ ધીરે-ધીરે બંધ પડે છે તેમ મિથ્યાત્વનો દંડ જવાથી સંસારચક્રનો અંત આવી જતો નથી પણ નદી ગોલ પાષાણ ન્યાયે જીવ મિથ્યાત્વમાંથી મુક્ત બની સમકિત પ્રાપ્ત કરી આગળ વધે છે. દેહ ધારણ કરવાનું એક કારણ નાશ પામ્યું પણ બીજા ક્યાં કારણો છે તે બીજી કડીમાં કવિ બતાવે છે.
राग दोस जग बंध करत है। ईनको नास करेंगे। મર્યો અનંત વાત તેં પ્રાણી, સો દમ વાત દરે;વ મ...ારા
અનંતસંસારમાં પરિભ્રમણ કરાવનાર તથા સંસારમાં આ જીવને બાંધી રાખનાર બે મહાશત્રુ છે તે રાગ અને દ્વેષ બંધનરૂપ આ બને છે.