________________
૨૫૫
અનુભવ રસ રીતે ચેતના કહે છે કે હે હોળી રમનારા માનવ બંધુઓ! તમે તો એક જ રાત હોળી સળગાવો છો પણ મારા શરીરમાં તો અનાદિકાળની હોળી સળગી રહી છે. મારો વિરહદાહ બૂઝવનાર કોઈ નથી. મારા ચેતન પ્રભુના મિલન વિના આ હૈયાની હોળી શાંત થશે નહીં. બીજે દિવસે તો તેની રાખ ઉડાવી દો છો તેમ મારા અંતરપ્રદેશમાં લાગેલી હોળીથી તો મારા શરીરની યે રાખ થઈ રહી છે.
હોળી ખેલનારા લોકો તો એક રાત હોળી ખેલે છે પણ ચેતનાને તો દીર્ઘકાળથી આ હોળી સળગી રહી છે અને તેને લીધે શુદ્ધ ચિંતનરૂપ શરીર પણ બળી રહ્યું છે. તેની રાખ પણ રહી નહીં તે પણ હવામાં ઊડી ગઈ.
કવિ આ પદની છઠ્ઠી કડીમાં કહે છે, समता महेल बिराज है, वाणी रस रेजा हो। વતિ નો આનંર્વધન પ્રમુ, જેણે નિકુર ન જેના દો.પીયા..દા.
શુદ્ધચેતના કહે છે કે હે પ્રભુ! માયા-મમતાના સંગમાં રહી રસપૂર્વક વિષયભોગી વાતો કરો છો તેનાં બદલે હવે સુમતિના મંદિરે પધારો અને તમારા જ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાતાં નરક, નિગોદ, દેવલોક વગેરેની વાતોનો વાણીપ્રવાહ વહેવડાવો અને શુદ્ધ સ્વરૂપની વાતોમાં સહુ કોઈને તરબોળ કરો. જ્યારે હું આપની આ પ્રકારની ઉચ્ચ વાતો સાંભળીશ ત્યારે તમારા હું ઓવારણાં લઈશ. અત્યારે એવા વિચાર માત્રથી મારા દિલમાં એટલો બધો આનંદ થાય છે કે જાણે ભવિષ્યની વાતોએ વર્તમાનરૂપ ધારણ કરી લીધું. મને લાગે છે કે જાણે મારા ચેતનરામ મારા મંદિરે પધાર્યા છે. હું ઓવારણાં લઈ મીઠો ઠપકો આપું છું અને કહું છું કે તમે આજ સુધી મારી જે દશા કરી છે તેવી દશા હવે પછી કોઈ દિવસ કરતાં નહીં તથા આપની આ અનુપ્રિયાને વેગળી પણ કરશો નહીં. આપ સમતા મંદિરે પધારો કે જેથી મારો વિરહકાળ ભાગી જાય.
ચેતન કહે છે કે હે સુમતિ, સમતા ને શુદ્ધચેતના અમે તારા મંદિરે જરૂર આવશું કારણ કે હું ભવ્ય છું અને મોક્ષનો કામી છું પણ હજુ મારું આત્મવીર્ય ફુરણા પામ્યું નથી. તેથી અહીં રખડ્યા કરું છું. હવે આ રખડપટ્ટીનો જરૂર અંત આવશે. હું તારા મંદિરે આવીશ અને સ્થિરતા પકડીશ પછી કેવળજ્ઞાનનો ભાસ્કર ઉદય પામશે. જેમાં જગતની સર્વ