________________
અનુભવ રસ
૨૫૪ સ્થિતિમાં હોય તે પ્રમાણે તેને પ્રકૃતિ લાગે છે. વિરહી માનવને સૂર્ય તો બાળે છે પણ ચંદ્રની ચાંદની પણ અગ્નિ વરસાવતી લાગે છે. ચેતનાને પણ આ બધું દુઃખની વૃદ્ધિ કરનાર લાગે છે માટે તેના આ બધા ઉપચારો નકામા લાગે છે. ચેતન શાંતિ માટે વારંવાર બાહ્ય ઉપચાર તો કરે છે પણ શુદ્ધ ચેતનાને તેથી વધારે દુઃખરૂપ લાગે છે. વિરહાગ્નિ શાંત કરવાનું ઉત્તમ ઔષધ છે સંયમ. મહાવ્રતાદિનું પાલન તથા દશયતિ ધર્મ આ અંતરંગ કાર્યોથી અગ્નિ શાંત થાય છે.
શ્રી આનંદઘનજી મહારાજે કેટલીક જગ્યાએ વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પોષણ આપ્યું છે. એમ જે કહેવામાં આવ્યું છે તેનો આ નમૂનો છે. બાહ્ય ઉપચાર, ચેતનાની વ્યાધિને વધારનાર છે તેમ કહેવામાં બહુધા તાત્ત્વિક અપેક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે. સખીઓએ ચેતનાના પ્રાણ જતા જાણીને તેનો વિરહાનલ બુઝાવવાને શીતલોપચાર કરવા માંડયા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યો અને કદાચ તે ઉપચાર ચાલુ રાખે તો તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે હે ભોળી સખી! તું ચંદન, બરાસનું વિલેપન શા માટે કરે છે? એ તો બાહ્ય અગ્નિના ઈલાજ છે. જ્યાં સુધી સમય સ્વરૂપી આત્માનું મિલન નહીં થાય ત્યાં સુધી આ સાધનો બંધનરૂપ અને પીડાકારક બને છે. ટબાકારે બાહ્ય ઉપચારને યથાપ્રવૃત્તિકરણ સુધી કહ્યાં છે અને ચેતનજીનો મેળાપ સમ્યકત્વ પ્રાતિથી થાય છે. તેઓએ વિરહકાળ અપૂર્વકરણ સુધી ગણ્યો છે. એટલે ચેતના અનંતથી પતિ વિયોગે ઝૂરી રહી છે. આ દિશામાં તેનો આધ્યાત્મિક ભૂમિકાનો પ્રારંભ થાય છે. તે કવિ આ પદની પાંચમી કડીમાં વર્ણવે છે. फागुण चाचर एक निसा, होरी सीरगानी हो। રે મન નવ નિ નરે, તને વાર ઉડાની દો.. યા...જાફા
દરેક માનવ કોઈને કોઈ કારણથી તહેવાર મનાવે છે. તેમાં કોઈ ધાર્મિક દૃષ્ટિએ હોય છે તો વળી કોઈ સામાજિક દૃષ્ટિએ હોય છે. કોઈ વખત કોઈ સત્ય ઘટનાને આધારે પર્વોનું આયોજન થાય છે. ફાગણ માસમાં લોકો હોળીથી રમે છે અને પછી હોળી સળગાવે છે. બીજે દિવસે ધૂળી પડવાને દિવસે સળગાવેલી હોળીની રાખ ઉડાડવામાં આવે છે. તેવી