SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ અનુભવ રસ સંસારમાં રખડાવનારું બની જાય છે. ચેતન જ્યારે મિથ્યાજ્ઞાનમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે તેનાં ભાવપ્રાણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખવાતા જાય છે. કારણકે ચેતના આ પ્રાણને આધારે ટકી છે. જો પ્રાણ જ ન રહે તો જીવન કોના આધારે ટકે?ચેતનની ચૈતન્યશક્તિ એ જ ચેતના છે. ચૈતન્યપ્રાણને ધારણ કરીને આત્મા જીવે છે એટલે તેનું જીવન ચૈતન્યથી ભરપૂર છે ને જડપણું તેનામાં જરાય નથી. જડતાના અભાવરૂપ એટલે અજડત્વસ્વરૂપ એવી ચૈતન્યશક્તિ આત્મામાં છે. ચૈતન્યશક્તિ એટલે ચેતના તેને કહેવાય કે જે પોતાને ચેતે-જાણે. ચેતનના પ્રાણ તે ચેતનાના પ્રાણ છે. દશ યતિધર્મને દશ પ્રાણ સમજવા. દશયતિધર્મનો તિરોભાવ છઠ્ઠા ગુણસ્થાનકે થાય છે. ત્યારે ચેતન ચેતનાનું મધુર મિલન ચોથા ગુણસ્થાનકે થતાં તેનામાં પ્રાણસંચાર થયો હોય તેવું લાગે છે. વળી દ્રવ્યપ્રાણ અને ચેતનાને પારમાર્થિક દૃષ્ટિએ કાંઈ લાગે વળગે નહીં પણ પ્રાણ તો પ્રાણ જ છે. ધર્મ અને પ્રાણ જુદા છે. તેથી ભાવપ્રાણમાં જ્ઞાન, દર્શન સુખ અને વીર્ય ગણાય છે, પણ ચેતનાની શ્રદ્ધામાં તથા જ્ઞાનમાં મલિનતા આવતા ભાવપ્રાણ ખવાઈ રહ્યા છે અથવા પી રહી છે. ભાવપ્રાણને નુકશાન થતાં શુદ્ધચેતનાનું જીવન સત્ત્વ સુકાઈ જાય છે. સાથે તે અતિ અવ્યક્ત થતી જાય છે. તેમજ પ્રાણ ટકવાની અશક્તિને કારણે સુધ બુધ ખોઈ બેસે છે પછી તેની દશા કેવી છે તે ચોથી કડીમાં બતાવતા કહે છે, शीतल पंखा कुमकुमा-, चंदन कहा लावे हो? નન ન વિરદાનન ય હૈ, તા તાપ ઉતાવે દો..યા...૪ શુદ્ધચેતના તેની સખીઓને કહે છે કે હે સખીઓ! તમે મારો વિરહાગ્નિ શાંત કરવા ઘણા-ઘણા ઉપચાર કરો છો. તમે આ શરીર પર શીતલ પદાર્થોનો લેપ કરો છો. ચંદન, કપૂર વગેરે લગાવો છો. પંખો નાંખો છો. તે સિવાય અનેક પ્રયત્નો કરો છો પણ મારે માટે તે બધું નિરર્થક છે. તે શીતળ પદાર્થો મારી વિરહાગ્નિમાં વધારો કરે છે કારણ કે આ કોઈ બાહ્ય અગ્નિ નથી. બાહ્ય અનિ બાહ્ય ઉપચારથી શાંત થાય ત્યારે આ તો અંતરંગ અગ્નિ છે. વિરહીજનો માટે આવા ઉપચાર અગ્નિમાં ઘી નું કામ કરે છે. તેનો કામાગ્નિ વધારે ઉદ્દીપ્ત થઈ જાય છે. માનવમન જે
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy